ગુજરાત

gujarat

મુંબઈમાં આજે અમિત શાહનો કાર્યક્રમ, શિવસેના સાથેના ગઠબંધન પર લાગી શકે છે મહોર

By

Published : Sep 22, 2019, 12:08 PM IST

મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મુંબઈ જવાના છે. તેઓ અહીં 11 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યાં 12 વાગ્યે તેઓ ગોરેગાવ સ્થિત નેસ્કો ગ્રાઉન્ડ પર જન જાગરણ અભિયાન કાર્યક્રમને સંબોધન કરશે.

amit shah today program

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, અમિત શાહ અને મહારાષ્ટ્ર ભાજપની કોર કમિટી સાથે બેઠક યોજવાના છે. તો વળી બીજી બાજુ મહારાષ્ટ્રમાં શિવસેના સાથેના ગઠબંધનનું કોકડું પણ આજે ઊકેલાય તેવી સંભાવના છે. અમિત શાહ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે આજે મુલાકાત કરે તેવી પણ શક્યતા છે.

bjp twitter

અહીં ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારના રોજ એક પ્રેસ કોન્ફરંસ યોજી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. મહારાષ્ટ્રમાં 288 સીટ અને હરિયાણામાં 90 સીટ પર વિધાનસભાની ચૂંટણી 21 ઓક્ટોબરના રોજ થવાની છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર થશે.

ABOUT THE AUTHOR

...view details