ગુજરાત

gujarat

CAAના સમર્થનમાં અમિત શાહ પહોંચ્યા લખનઉ

By

Published : Jan 21, 2020, 9:43 AM IST

Updated : Jan 21, 2020, 1:50 PM IST

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (CAA) પર રાષ્ટ્રવ્યાપી જન જાગૃતિ અભિયાનને લઈ આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ લખનઉમાં એક જનસભાને સંબોધિત કરશે.

etv bharat
etv bharat

નાગરિકતા સંશોધન કાયદો (CAA) પર રાષ્ટ્રવ્યાપી જન જાગૃતિ અભિયાનને લઈ અમિત શાહ લખનઉમાં એક જનસભાને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) નાગરિકતા સંશોધન કાયદા પર વિરોધ પ્રદર્શનને જોતા સમગ્ર દેશમાં જન જાગૃતિ અભિયાન શરુ કર્યું છે.

ભારતીય જનતા પાર્ટી ઉત્તરપ્રદેશમાં વિશેષ જન જાગરણ અભિયાન ચલાવશે. આજે અમિત શાહ લખનઉમાં એક જનસભાને સંબોધિત કરશે. આ સિવાય ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા 23 જાન્યુઆરીના રોજ આગરામાં યોજાનાર એક રેલીને સંબોધન કરશે. ભાજપ સમગ્ર દેશમાં 6 રેલી કરશે.

CAA અને NRC વિરોધમાં દિલ્હીમાં થયું પ્રદર્શન

નાગરિકતા સંશોધન કાનૂન અને રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટ્રેશન વિરોધમાં સોમવારના રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રાજધાની દિલ્હીમાં મંડી હાઉસથી લઈ જંતર મંતર સુધી રેલી કાઢી હતી.

Last Updated : Jan 21, 2020, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details