અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના કારણે દેશના ધર્મને આધારે ભાગલા પડ્યા છે. જો કોંગ્રેસે આવું ન કર્યુ હોત તો આજે આતંકવાદનો મુદ્દો જ ન હોત અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ અમારાથી દુર હોત. શાહે કહ્યું કે, કોંગ્રેસ અમને ઇતિહાસના પાઠ ન ભણાવે તો સારુ.
તેમણે કહ્યું કે તે સમયે 600થી વધુ દેશી રજવાડા હતા તે સમયે ગૃહપ્રધાન સરદાર વલ્લભ ભાઇ પટેલે બધાને એક કર્યા. હૈદરાબાદ અને જૂનાગઢના રજવાડાએ ભારતમાં સામેલ થવા માટે ના પાડી હતી, પરંતુ આ મુદ્દો સરદાર વલ્લભ ભાઇ પટેલ પાસે હતો માટે અત્યારે આ બાબતે કોઇ તકલીફ નથી થઇ રહી.