ગુજરાત

gujarat

By

Published : Oct 1, 2019, 5:20 PM IST

Updated : Oct 1, 2019, 9:42 PM IST

ETV Bharat / bharat

બંગાળમાં અમિત શાહની ગર્જના, 370 અને NRC પર સંબોધન

કલકત્તા: અમિત શાહ ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં ગૃહપ્રધાન અમિત શાહ નેતાજી ઈંડોર સ્ટેડિયમ ખાતે NRCને લઈ સંબોધન કર્યું હતું.

amit shah in west bengal

અહીં અમિત શાહે જણાવ્યું હતું કે, બંગાળ અને કલમ 370થી ઘણા સમય પહેલા જોઈએ તો શ્યામા પ્રસાદ મુખર્જીએ બંગાળમાંથી બહાર નીકળતા પહેલા જ તેની વિરુદ્ધ હાકલ મારી હતી. તેમણે 370ને હટાવવા માટે જ જીવ આપી દીધો હતો. આ પ્રદેશમાંથી શ્યામાપ્રસાદ મુખર્જીએ નારો આપ્યો હતો કે, એક દેશમાં બે પ્રધાન, બે વિધાન અને બે સંવિધાન નહીં ચાલે. ભારત માતાના આ મહાન સપૂતની ધરપકડ કરી રહસ્યમય રીતે તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

બંગાળમાં અમિત શાહની ગર્જના

શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બની અને અમે એક જ ઝાટકે 370ની કલમ ઉખાડીને ફેંકી દીધી. 73 વર્ષ બાદ બંગાળમાં અમને 18 સીટ મળી અને વડાપ્રધાન મોદીએ 370 અને 35એ સંસદના પ્રથમ સત્રમાં જ તેને ખતમ કરી નાખી હતી.

અમિત શાહે બંગાળમાં એનઆરસીને લઈ લોકોને સંબોધન કર્યું હતું. NRC પર યોજાયેલા આ સેમીનારમાં શાહે મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી.

અમિત શાહ અનેક વાર દેશમાં NRC લાગુ કરવાની વાત કહી ચૂક્યા છે, જો કે મમતા બેનર્જીએ બંગાળમાં તેને લાગુ કરવાનો વિરોધ કરી રહ્યા છે.

Last Updated : Oct 1, 2019, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details