નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના આરોગ્યને લઇને એક સંદેશ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, હું સંપૂર્ણ સ્વસ્થ છું. ગત ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં અફવા ફેલાણી હતી કે, તેમનું આરોગ્ય ખરાબ છે. શનિવારે તેમણે ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા આપી દીધી છે.
આ મુદ્દે અમદાવાદ પોલીસે 4 લોકોની ધરપકડ પણ કરી લીધી છે. જેની ઓળખ ફિરોઝ ખાન, સરફરાઝ, સજ્જાદ અલી અને શિરાઝ હુસૈનના રૂપે કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, દેશ આ સમયે કોરોના જેવી વૈશ્વિક મહામારી સાથે ઝઝુમી રહ્યો છે. ગૃહ પ્રધાન થવાના કારણે તે મોડી રાત્રિ સુધી વ્યસ્ત રહે છે અને આવી વાતો પર ધ્યાન આપી શક્યા નહોતા.