નવી દિલ્હી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે તેમની કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 80 કરોડ ગરીબ લોકો માટે મફત રાશન યોજનાને પાંચ મહિના માટે વધારી દેતા તેમણ પ્રધાનો સાથે બેઠક યોજી હતી. શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય પ્રધાનોમાં નિર્મલા સીતારમણ, નરેન્દ્રસિંહ તોમર, રામ વિલાસ પાસવાન અને પિયુષ ગોયલ સામેલ હતા.
વડાપ્રધાનના રાષ્ટ્ર જાગ સંબોધન બાદ ગૃહપ્રધાન અમિત શાહે એક બેઠક બોલાવી હતી. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને (PMGKAY) નવેમ્બર સુધી લંબાવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લાભાર્થી પરિવારના દરેક સભ્યોને દર મહિને એક કિલો ગ્રામ ચણા તેમજ પાંચ કિલો મફત ચોખા અથવા ઘઉં આપવામાં આવશે.