ગુજરાત

gujarat

By

Published : Aug 21, 2020, 12:04 AM IST

ETV Bharat / bharat

એક વર્ષ બાદ ફારુક અબ્દુલ્લા મીડિયા સામે આવ્યા, કહ્યું, દયનીય સ્થિતિ

જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લા લગભગ એક વર્ષ પછી મીડિયા સામે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ તેમના વકીલ અને કોર્ટના આભારી છે.

farooq-abdullah
એક વર્ષ બાદ ફારુક અબ્દુલ્લા મીડિયા સામે આવ્યા

શ્રીનગરઃ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્ર સરકારનું પણ માનવુ છે કે જમ્મુ કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિ શરૂ થવી જોઈએ. આવી સ્થિતિમાં સ્થાનિક નેતાઓને મુક્ત કરવા તે એક સકારાત્મક પગલું છે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરના નેતાઓને મુક્ત કરવા જરૂરી છે. જેથી સ્થાનિક લોકોના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે.

આ પહેલા ગુરુવારે તેમણે તેમના નિવાસસ્થાને એક બેઠક બોલાવી હતી. જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અલી મોહમ્મદ સાગર, અબ્દુલ રહીમ રાથર, મોહમ્મદ શફી ઉરી સહિત કેટલાય અન્ય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

બેઠક બાદ પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે, અમારી બેઠકનો ઉદ્દેશ્ય એ જોવાનો હતો કે, શું અમારા લોકો જે 12 મહીનાથી ઘરમાં બંધ છે, તેઓ પોતાના ઘરેથી બહાર આવી શકે છે. કારણ કે, સરકારે કહ્યું છે કે તેઓ બંધ છે.

તેમણે કહ્યું કે લોકો આજે સૌથી દયનીય હાલતમાં છે. વ્યવસ્થાય થપ થઇ ગયો છે, પર્યટન બરબાદ થઇ ગયું છે.

5 ઓગસ્ટ 2019 પછી આ પહેલો મોકો છે, જ્યારે જમ્મુ કાશ્મીરની રાજકીય પાર્ટીની બેઠક થઇ હોય.

ABOUT THE AUTHOR

...view details