ગુજરાત

gujarat

અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને આજે ધારાસભ્યોની બેઠક

By

Published : Feb 12, 2020, 9:17 AM IST

Updated : Feb 12, 2020, 10:01 AM IST

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકની સાથે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જંગી બહુમતિ સાથે જીત મેળવી છે. જેની સાથે આપ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. કારણ કે, અરવિંદ કેજરીવાલે આજે પોતાના નિવાસ સ્થાને ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. જેમાં કેજરીવાલ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાશે.

kejriwal
kejriwal

નવી દિલ્હીઃ 62 બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યા બાદ કેજરીવાલે આજે બપોરે 12 કલાકે પોતાના નિવાસ સ્થાને એક બેઠકનું આયોજન કર્યુ છે. જેમાં કેજરીવાલ ધારાસભ્ય દળના નેતાની પસંદગી પામશે. તેમજ એલ.જી સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

સતત ત્રીજી વખત કેજરીવાલે દિલ્હીમાં પોતાની સરકાર કાયમ કરી છે. ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે બીજેપીર 3 બેઠકથી આગળ જરૂર હતી, પરંતુ તે 8 બેઠકથી વધુ મેળવી શકી નથી, તો બીજી તરફ કોંગ્રેસ મેદાનમાં ઉતરતા પહેલા જ આઉટ થઈ ગઈ હતી.

Last Updated : Feb 12, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details