નવી દિલ્હીઃ 62 બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યા બાદ કેજરીવાલે આજે બપોરે 12 કલાકે પોતાના નિવાસ સ્થાને એક બેઠકનું આયોજન કર્યુ છે. જેમાં કેજરીવાલ ધારાસભ્ય દળના નેતાની પસંદગી પામશે. તેમજ એલ.જી સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને આજે ધારાસભ્યોની બેઠક - આમ આદમી પાર્ટી ન્યૂઝ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકની સાથે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જંગી બહુમતિ સાથે જીત મેળવી છે. જેની સાથે આપ સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. કારણ કે, અરવિંદ કેજરીવાલે આજે પોતાના નિવાસ સ્થાને ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. જેમાં કેજરીવાલ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાશે.
![અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને આજે ધારાસભ્યોની બેઠક kejriwal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6042365-thumbnail-3x2-sss.jpg)
kejriwal
સતત ત્રીજી વખત કેજરીવાલે દિલ્હીમાં પોતાની સરકાર કાયમ કરી છે. ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વખતે બીજેપીર 3 બેઠકથી આગળ જરૂર હતી, પરંતુ તે 8 બેઠકથી વધુ મેળવી શકી નથી, તો બીજી તરફ કોંગ્રેસ મેદાનમાં ઉતરતા પહેલા જ આઉટ થઈ ગઈ હતી.
Last Updated : Feb 12, 2020, 10:01 AM IST