ગુજરાત

gujarat

By

Published : Apr 4, 2019, 9:11 PM IST

Updated : Apr 4, 2019, 9:16 PM IST

ETV Bharat / bharat

નેશન ફસ્ટ, પાર્ટી નેક્સ્ટ, સેલ્ફ લાસ્ટ: ભાજપ સ્થાપના દિન નિમિત્તે એલ.કે.અડવાણીનો બ્લોગ

ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણી પહેલા BJPના વરિષ્ઠ નેતા અને માર્ગદર્શક મંડળના સદસ્ય એલ.કે.અડવાણીનો બ્લોગ સામે આવ્યો છે. અડવાણીએ લખ્યું કે, ‘6 એપ્રિલે BJP પોતાનો સ્થાપના દિવસ મનાવશે. BJPમાં તમામ લોકો માટે એક સારો અવસર છે કે તેઓ આગળ જુએ, પાછળ જુએ અને અંદર જુએ. BJPના સ્થાપક તરીકે ભારતના લોકોની સાથે મારા અનુભવો તાજા કરવા એ મારૂ કર્તવ્ય છે. તેમાં પણ સૌથી જરૂરી છે મારી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મારા અનુભવો જણાવવા. બન્નેએ મને ખુબ જ પ્રેમ અને સન્માન આપ્યું છે.’

ફાઈલ ફોટો

ગાંધીનગર બેઠકથી ટિકિટ કપાતા અડવાણીએ લખ્યું કે, ‘હું ગાંધીનગરની જનતા માટે મારી કૃતજ્ઞતા વ્યકત કરુ છું, ગાંધીનગરની જનતાએ 1991 પછી 6 વખત મને લોકસભામાં ચૂટ્યો છે. તેમનો પ્રેમ અને સમર્થને મને અભિભૂત કર્યો છે. માતૃભૂમિની સેવા કરવી મારો ઉત્સાહ છે અને મારુ મિશન રહ્યું છે. જ્યારથી હું14 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (RSS)માં જોડાયો છું. મારા રાજનીતિક જીવનમાં લગભગ સાત દાયકાઓથી મારી પાર્ટી સાથે અવિભાજ્ય રીતે જોડાયો છું. પહેલા ભારતીય જનસંઘસાથે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયું છું. હું બન્નેનો સ્થાપક સદસ્ય રહ્યો છું. પંડિત દીનદયાલ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપાઈ અને અન્ય ઘણા મહાન, પ્રેરણાદાયક અને દિગ્ગજો સાથે કામ કરવું મારુ દુર્લભ સૌભાગ્ય રહ્યું છે.’

બ્લોગમાં અડવાણીએ વધુમાં લખ્યું કે, "મારી ઇચ્છા છે કે આપણે બધાએ સંયુક્તપણે ભારતના લોકશાહી શિક્ષણને મજબૂત કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. સાચું છે, ચૂંટણી લોકશાહીનો તહેવાર છે, પરંતુ તે ભારતીય લોકશાહીમાં તમામ હિસ્સેદારો માટે - રાજકીય પક્ષો, સમૂહ માધ્યમો, ચૂંટણી પ્રક્રિયાના અમલકર્તા સત્તાધિકારીઓઅને સૌથી ઉપર મતદારો માટે પ્રામાણિક આત્મનિરીક્ષણ માટેની તક છે.

લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે, 'મારા જીવનનો માર્ગદર્શક સિદ્ધાંત - નેશન ફર્સ્ટ, પાર્ટી નેક્સ્ટ, સેલ્ફ લાસ્ટ. તમામ પરિસ્થિતિઓમાં મે આ સિદ્ધાંતને અનુસરવાનો પ્રયાસ કર્યો છે અને તે કરવાનું ચાલુ રાખીશ. ભારતીય લોકશાહીનો સાર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેનો આદર છે. પક્ષ વ્યક્તિગત અને રાજકીય સ્તરે દરેક નાગરિકની પસંદગી માટે સ્વતંત્ર અને પ્રતિબદ્ધ છે. મીડિયા સહિત તમામ લોકશાહી સંસ્થાઓની સ્વતંત્રતા, પ્રામાણિકતા, નિષ્પક્ષતા અને તાકાતની માંગમાં ભાજપ હંમેશાં આગળ રહ્યું છે. ચૂંટણી સુધારણાઓમાં પારદર્શિતા, રાજકીય અને મતદાન ભંડોળમાં હંમેશા અમારી પાર્ટી માટે પ્રાથમિકતા રહી છે.

Last Updated : Apr 4, 2019, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details