નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કહ્યું છે કે, બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે ચોમાસુ સામાન્ય તારીખથી આશરે 6 દિવસ પહેલા 16 મેની આસપાસ અંદમાન-નિકોબાર આઇલેન્ડ પર પહોંચવાની સંભાવના છે.
16મી સુધીમાં ચોમાસું અંદમાન-નિકોબાર પર પહોંચે એવી સંભાવના - અંદમાન-નિકોબાર ન્યુઝ
ચોમાસુ સામાન્ય રીતે આશરે 16થી 20 મે ની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પર પહોંચે છે. ગયા મહિને તેના આગમનની સંભવિત તારીખમાં સુધારો કરીને 22 મે કરવામાં આવી હતી. આઇએમડીએ જણાવ્યું હતું કે, ચોમાસુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતને કારણે સામાન્ય તારીખથી આશરે 6 દિવસ પહેલા 16 મેની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પહોંચવાની સંભાવના છે.

16 મેના રોજ ચોમાસું અંદમાન-નિકોબાર આઇલેન્ડ પહોંચવાની સંભાવના
ચોમાસું સામાન્ય રીતે આશરે 20 મેની આસપાસ આંદામાન-નિકોબાર આઇલેન્ડ પર પહોંચે છે. ગયા મહિને તેના આગમનની સંભવિત તારીખમાં સુધારો કરીને 22 મે કરવામાં આવ્યો હતો.