ઉત્તર પ્રદેશઃ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આરોપી ઓમ પ્રકાશ પાંડેએ ગુરુવારે સીબીઆઈની વિશેષ અદાલતમાં શરણાગતિ સ્વીકારી હતી. ત્યારબાદ તેને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, કોર્ટે સીઆરપીસીની કલમ 313 હેઠળ તેમનું નિવેદન પણ નોંધ્યું છે. કોર્ટે શુક્રવારે તેના બચાવા પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. ગત 28 જુલાઈએ તેને ભાગેડુ જાહેર કરાયો હતો અને તેની સંપત્તિ જપ્ત કરવા આદેશ પણ જારી કર્યો હતો.
બાબરી વિધ્વંસ કેસના આરોપીએ CBI અદાલતમાં આત્મસમર્પણ કર્યું - ram temple
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં આરોપી ઓમ પ્રકાશ પાંડેએ ગુરુવારે સીબીઆઈની વિશેષ અદાલતમાં શરણાગતિ સ્વીકારી હતી. ત્યારબાદ તેને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો.

પાંડેએ ગુરુવારે કહ્યું હતું કે, તેણે ઘણા વર્ષો પહેલા ઘર છોડી દીધું હતું. ઋષિકેશમાં રહેતો હતો. 5ઓગસ્ટે, જ્યારે તેઓ વડાપ્રધાન દ્વારા રામ મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપવા અયોધ્યા આવ્યા, ત્યારે તેમને કોર્ટના આદેશ વિશે જાણ થઈ, તે પછી તેઓ તાત્કાલિક કોર્ટમાં હાજર થઈ ગયા. તેમણે કહ્યું કે, તેઓ કોર્ટનો આદર કરે છે અને જાણી જોઈને કોર્ટનો અનાદર કરશે નહીં.
આ દરમિયાન તત્કાલીન પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહે કોર્ટમાં બચાવ સંબંધિત કેટલાક ફોર્મ ભર્યા હતા. કોર્ટે અન્ય પ્રતિવાદીઓને પણ પોતાનો બચાવ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પાંડેની સુનાવણી 31 અન્ય આરોપીઓની સાથે કરવાનો આદેશ આપ્યો છે.