ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેન્ક સંકટ પર અભિજીત બેનર્જીએ વ્યક્ત કરી ચિંતા,કહ્યું સરકારી ભાગીદારી 50 ટકા ઘટાડવા આહ્વાન - બેન્ક સંકટ પર અભિજીત બેનર્જીએ વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી: નોબેલ પુરસ્કાર માટે પંસદગી પામનાર અભિજીત બેનર્જીએ 22 ઓક્ટોબરના રોજ બેંક સંકટને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.આ સ્થિતીનો સામનો કરવા માટે બેન્કોમાં સરકારી ભાગેદારીને 50 ટકા નીચે લાવવા માટે તેમણે આહ્વાન કર્યું હતું.

બેન્ક સંકટ પર અભિજીત બેનર્જીએ વ્યક્ત કરી ચિંતા,કહ્યું સરકારી ભાગેદારી 50 ટકા નીચે લાવવા આહ્વાન

By

Published : Oct 23, 2019, 10:35 AM IST

નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ મંગળવારે ભારતમાં બેન્ક સંકટને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે બેન્કોમાં સરકારની ભાગીદારી 50 ટકાથી નીચે લાવવા સહિત કેટલાક આક્રમક બદલાવ કરવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે સંકટથી બહાર નીકળવા માટે મહત્વપૂર્ણ અને આક્રમક બદલાવ લાવવાની જરૂર છે.

બેનર્જીએ કહ્યું કે બેન્કોમાં સરકારની ભાગીદારી 50 ટકાથી નીચે લાવવાની જરૂરત છે. જેથી કેન્દ્રીય સતકર્તા આયોગી આશંકા વગર નિર્ણય કરવામાં આવી શકે. દેશમાં બેન્ક આશરે પાંચ વર્ષથી ઉચ્ચ પ્રમાણમાં ફસાયેલા દેવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ કારણથી બેન્કો નેટવર્થ ઓછું થઇ રહ્યું છે. એટલું જ નહીં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારીની સાથે ક્ષેત્રમાં કૌભાંડ સમસ્યાને વધારી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details