ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનઃ અલવરમાં કન્ટેનરે બાઇકને ટક્કર મારતા 2ના મોત,1 ઘાયલ

મંગળવારે સાંજ મેગા હાઇવે ગોટ ચોકડી પાસે કન્ટેનર ચાલકે બાઇક પર સવાર ત્રણ લોકોને ટક્કર મારી હતી. જેમા 2ના મોત નિપજ્યા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમને જનરલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવી મૃતદેહને તેમના પરિવારને સોપ્યો હતો. બંને ડ્યૂટી પરથી સાંજે બાઇક પર અલવર પાછા આવી રહ્યા હતા. ત્યારે આ ગંભીક અકસ્માત સર્જોયો હોવાનુ જાણવા મળ્યું છે.

By

Published : Jun 3, 2020, 7:24 PM IST

એક કન્ટેનરે બાઇકને ટક્કર મારતા 2 મોત,1 ઘાયલ
એક કન્ટેનરે બાઇકને ટક્કર મારતા 2 મોત,1 ઘાયલ

અલવર (રાજસ્થાન): મંગળવારે સાંજ મેગા હાઇવે ગોટ ચોકડી પાસે કન્ટેનર ચાલકે બાઇક પર સવાર ત્રણ લોકોને ટક્કર મારી હતી. જેમા ઘાયલ પૂરણમલ જંગિડ અને ગુરદીપસિંહનું ધટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બુધવારે મૃતકના મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાવી તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે અલવર સિકંદરા મેગા હાઇવે પર ગોઢની ચોકી પર એક કન્ટેનર બે બાઇક સવારોને ટક્કર મારી હતી. પોલીસને બાતમી મળતાની સાથે જ રાજગઢ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માતમાં ગોપાલ શર્મા, પુરણમલ જંગિડ, ગુરદીપસિંહને ઈજા પહોંચાડી હતી. રાજગઢની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

ત્રણેયને ગંભીર હાલતમાં અલવરની જનરલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં ડોક્ટરોએ પૂરણમલ જાંગિડ નિવાસી તિજારા ફાટક, ગુરદીપસિંહ રહેવાસી રણજીત નગર અલવરને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઘાયલ ગોપાલ શર્મા નિવાસી નીમાલાને જયપુર રિફર કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કન્ટેનર કબ્જે લઇને જનરલ હોસ્પિટલમાં બંને મૃતકોનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું અને મૃતદેહ પરિવારને સોપ્યો હતો.

મૃતક ગુરદીપસિંહના પરિવારજનો બંટી સિંહે જણાવ્યું હતું કે, કંટેનર ચાલકે બેદરકારીથી ગોપાલ શર્માને ટક્કર મારી હતી. આ પછી, કંટેનર અનિયંત્રિત થઈ ગયો અને આ પછી, દોસાથી અલવર તરફ આવી રહેલી બાઇક પર સવાર પૂરણમલ અને ગુરદીપસિંહેને ટક્કર મારી હતી.

ગુરદીપસિંહે દોસાની સહારા બેંકમાં કામ કરતો હતો. અને પૂરણમલ દોસામાં આબકારી વિભાગમાં કામ કરતો હતો. બંને ડ્યૂટી પરથી સાંજે બાઇક પર અલવર પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરણમલ અને ગુરદીપસિંહનું મોત નીપજ્યું હતું અને ગોપાલ શર્માને સારવાર માટે જયપુર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details