ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડિશામાં ગમ્ખ્વાર અકસ્માત, 10 લોકોના મોત, 15 ઇજાગ્રસ્ત - સોમવારની અકસ્માતની ઘટના

ઓડિશા રાજ્યના કોરાપુટ જિલ્લામાં રવિવારે એક પીકઅપ વાન પલ્ટી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા હતા.

accident news
accident news

By

Published : Feb 1, 2021, 10:47 AM IST

  • ઓડિશામાં ગમખ્વાર અકસ્માત
  • 10 લોકોના મોત, 15 ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ભુવનેશ્વરઃઓડિશા રાજ્યના કોરાપુટ જિલ્લામાં રવિવારે એક પીકઅપ વાન પલ્ટી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના કોટપડ થાણે વિસ્તારના મુર્તાહાંડીમાં ઘટી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, લગભગ 30 લોકો છત્તીસગઢ રાજ્યમાંથી આવ્યા હતા અને તેઓ એક શોકસભામાં સામેલ થઇ પરત ફરી રહ્યા હતા.

ઇજાગ્રસ્તોની હાલત ગંભીર

કોરાપુટના પોલીસ અધીક્ષક વરુણ ગુંટુપલ્લીએ જણાવ્યું કે, 10 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અન્ય 15 લોકોને કોટપડની એક નજીકની હોસ્પિટલમાં ભર્તિ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત થયેલા 10 લોકોની હાલત ગંભીર જાણવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details