ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Covid-19: જાણો, રાજસ્થાનના કયા જિલ્લામાં કેટલા દર્દીઓ સંક્રમિત, કેટલા સ્વસ્થ થયા - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ

રાજસ્થાનમાં કોરોના વાઇરસ સતત ઘાતક રીતે ફેલાઇ રહ્યો છે. અહીં કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે.

Etv Bharat, Gujarati News, Rajasthan News, CoronaVirus
CoronaVirus

By

Published : May 11, 2020, 12:03 PM IST

જયપુરઃ રાજ્યમાં કોરોના વાઇરસ સતત ઘાતક રૂપે ફેલાઇ રહ્યો છે. અહીં કોરોના પોઝિટિવની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યના સ્વાસ્થય વિભાગ દ્વારા સોમવારે સવારે 9 કલાક સુધી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનમાં 84 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ 40 કેસ ઉદયપુરમાં સામે આવ્યા છે.

આ ઉપરાંત રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3900ની નજીક પહોંચી છે, તો રાજ્યમાં કોરોનાને લીધે જીવ ગુમાવનારાની સંખ્યા 108 સુધી પહોંચી છે. રાજ્યના કુલ કોરોના પોઝિટિવમાં એક્ટિવ કેસની સંખ્યા 1537 છે.

રાજસ્થાનમાં કોરોના દર્દીઓના આંકડા

સ્વાસ્થય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 3898 છે. રાજ્યમાં રવિવારથી અત્યાર સુધી 84 નવા કેસ સામે આવ્યા છે. તેમાં સૌથી મોટી સંખ્યા ઉદયપુરની છે. અહીં કોરોનાના 40 નવા કેસ સામે આવ્યા છે.

આ ઉપરાંત રાજ્યના નાગૈરમાં 1, ટોંકમાં 2, ચિતોડગઢમાં 5, રાજસમંદમાં 4, જાલોરમાં 4 અને કરોલીમાં 2 કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. ગનીમતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મોતનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 166124 લોકોના નમૂના પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેમાંથી 3898 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેમાં સૌથી વધુ સંખ્યા જયપુર છે. જયપુરમાં હવે 1230 કોરોના દર્દીઓ છે. તે જ સમયે, 57 લોકોનાં મોત નીપજ્યાં છે. જોધપુરમાં 873 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે અને 17 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત કોટાથી 153 કોરોના દર્દીઓ પણ બહાર આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details