પટણા: બિહારના આરોગ્ય વિભાગે રવિવારે કહ્યું કે, અન્ય રાજ્યોમાંથી પરત આવેલા 10,385 મજૂરોમાંથી 560 મજૂરોની તપાસ થઈ તો એમને કોરોનાનો ચેપ લાગ્યો છે. રાજ્યમાં જીવલેણ વાઇરસનો ફેલાવો અટકાવવા તમામ સ્થળાંતરિત કરનારાઓને એક અલગ કેન્દ્રમાં રાખવામાં આવ્યાં છે.
બિહાર પહોંચેલા 560 પ્રવાસી મજૂરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - કોરોના વાઈરસ
દેશના અન્ય રાજ્યોથી બિહાર પરત ફરેલા 10,385 મજૂરોમાંથી 560 મજૂરોની તપાસ કરાતા કોરોના ચેપ લાગ્યો છે. જેમાંથી 172 સ્થળાંતરિત કામદારો દિલ્હીથી પરત ફર્યા હતાં, જ્યારે 123 મહારાષ્ટ્રથી અને 26 પશ્ચિમ બંગાળથી પરત ફર્યા હતાં.
![બિહાર પહોંચેલા 560 પ્રવાસી મજૂરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો 560 migrant workers in Bihar found COVID-19 positive](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7235730-thumbnail-3x2-wre.jpg)
બિહાર પહોંચેલા 560 પ્રવાસી મજૂરોને થયો કોરોના
બિહાર સરકારી વિભાગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બિહાર આરોગ્ય વિભાગ પરત ફરેલા પ્રવાસી મજૂરોના ડેટાના સતત તપાસ કરી રહ્યું છે. આ ડેટા 16 મે સુધી પરત આવતા પરપ્રાંતીયોના છે.
એક રિપોર્ટમાં વધુમાં ખુલાસો કરાયો છે કે, 560 કેસ જે પોઝિટિવ આવ્યાં છે. જેમાં દિલ્હીમાંથી 172 પરપ્રાંતિય કામદારો, મહારાષ્ટ્રના 123 અને પશ્ચિમ બંગાળના 26 કામદારો સામેલ છે. જો કે, હજુ પણ 2746નું પરિણામ બાકી છે.