આંધ્રમાં જગનમોહને બનાવ્યા 5 ડેપ્યુટી CM, કુલ 25 કેબિનેટ મંત્રી સરકારમાં હશે
ન્યૂઝ ડેસ્ક: આંધ્રપ્રદેશના નવનિર્વાચિત રાજ્યના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડીએ કેબિનેટમાં પાંચ નવા ડેપ્યુટી સીએમ બનાવ્યા છે.જગને આ જાહેરાત શુક્રવારના રોજ વાઈએસઆર કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં કરી હતી.જેમાં પામુલા પુષ્પા શ્રીવાણી, પિલ્લી સુભાષ ચંદ્ર બોસ, અલ્લા કાલી કૃષ્ણ શ્રીનિવાસ, કે નારાયણ સ્વામી અને અમજત બાશાને ઉપમુખ્યપ્રધાન બનાવ્યા છે.
file
સરકારમાં 25 મંત્રીઓ હશે
જગનમોહને સરકારના 25 મંત્રીઓને ખાતાની વહેંચણી કરી દીધી છે. સાથે સાથે સરકારમાં પોતાના પિતાની માફક એક મહિલાને ગૃહમંત્રી બનાવ્યા છે. પોતે કરેલા વાયદાઓ પ્રમાણે જગને પછાતમાંથી સાત, અનુસૂચિત જાતિમાંથી પાંચ, અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમુદાયમાંથી એક એક સમુદાયને મંત્રીમંડળમાં જગ્યા આપી છે.