નવી દિલ્હી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, લોકલ ટ્રાંસમીશનના 40 કેસ છે. જ્યારે બીજા દર્દીઓ વિદેશથી પરત આવ્યા હતા અથવા તેઓ મરકજના દર્દી છે.કોરોના વાઈરસને લીધે દિલ્હીમાં 6 લોકોના મોત થયાં છે. 5 લોકો 60 વર્ષથી વધારે ઉંમરના હતા અને એકને ગંભીર બિમારી હતી. મરકજમાંથી 2300 લોકોને બહાર નિકાળવામાં આવ્યાં છે અને 2-3 દિવસમાં બધાનો ટેસ્ટ થશે.
દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ વધી શકે છે, નિઝામુદ્દીનના લોકોનો ટેસ્ટ થઈ રહ્યો છે - કેજરીવાલ - 40 cases of local transmission
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં 445 કોવિડ-19ના કેસ છે. પરિસ્થિતિ કાબૂમાં છે અને કોમ્યુનિટિ ટ્રાંસમીશન થયું નથી.
![દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ વધી શકે છે, નિઝામુદ્દીનના લોકોનો ટેસ્ટ થઈ રહ્યો છે - કેજરીવાલ Coronavirus: 445 cases in Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6662253-931-6662253-1586013572623.jpg)
દિલ્હીમાં કોરોના વાઈરસના કેસ વધી શકે છે
વધુમાં કેજરીવાલે કહ્યું કે, ડૉક્ટર અને નર્સ માટે PPEની અછત છે. કેન્દ્ર સરકારે આ અછતની પૂરતી કરવી પડશે.