નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે. આ અંગે તિહાડ જેલ પ્રશાસન પણ એલર્ટ છે. અહીં મોટી સંખ્યામાં કેદીઓ બંધ છે, જેના કારણે તેમની વચ્ચે કોરોના વાઇરસ ફેલાવાનો ખતરો છે. જેને ધ્યાનમાં રાખીને તિહાડ વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં 3350 કેદીઓને વચગાળાના જામીન અને ઇમરજન્સી પેરોલ પર મુક્ત કરવામાં આવ્યાં છે. જેની અવધિ 45થી 60 દિવસની રહેશે.
કોરોનાની અસર: તિહાડ જેલમાંથી 3350 કેદીઓ વચગાળાના જામીન પર મુક્ત - કોરોના વાઇરસ દિલ્હીમાં
દિલ્હી તિહાડ જેલમાંથી 3350 કેદીઓને વચગાળાના જામીન અને પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય કોરોના મહામારીના કારણે લેવામાં આવ્યો હતો.

કોરોનાની અસર: તિહાડ જેલમાંથી 3350 કેદીઓને વચગાળાના જામીનથી મુક્ત કર્યા
તિહાડ જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ, તિહાડ જેલમાં કેદીઓ વધારે છે. અહીં નક્કી કરવામાં આવેલી સંખ્યા કરતા દોઢ ઘણા કેદીઓ છે. હાલના વાતાવરણમાં તિહાડ જેલની અંદર કેદીઓની વધારે સંખ્યામાં તેમને કોરોના સંક્રમણ તરફ ધકેલી શકે છે. જો કોઈને તિહાડ જેલમાં કોરોના થયો તો તે ઝડપથી ફેલાઇ જશે. આ માટે સરકાર અને ગૃહ મંત્રાલયને દરખાસ્ત મોકલવામાં આવી હતી કે, કેટલાક કેદીઓને મુક્ત કરે. આ અંગે જે રીતે સંમતિ આપવામાં આવી રહી છે, તેટલા કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યાં છે.
કોરોનાની અસર: તિહાડ જેલમાંથી 3350 કેદીઓને વચગાળાના જામીનથી મુક્ત કર્યા
Last Updated : Apr 29, 2020, 9:07 AM IST