નવી દિલ્હીઃ કોરોના વાયરસથી પ્રભાવિત ઈટલીમાંથી 211 વિદ્યાર્થીઓ સહિત કુલ 218 ભારતીયોને સ્વદેશ પરત લવાયા છે. વિદેશ રાજ્યપ્રધાન વી મુરલીધરને જણાવ્યું હતું કે, તેઓને 14 દિવસ સુધી અલગ રાખવામાં આવશે.
મુરલીધરને ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે,"મિલાનના 211 વિદ્યાર્થીઓ સહિત 218 ભારતીય દિલ્હી પહોંચ્યા છે. તે બધાને 14 દિવસ માટે અલગ રાખવામાં આવશે. ભારતીયો જ્યાં પણ મુશ્કેલીમાં મુકાયા હશે ત્યાં સુધી પહોંચીને મદદ કરવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે"