ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વંદે ભારત મિશનઃ દક્ષિણ આફ્રિકાથી 1500 ભારતીયોની થશે સ્વદેશ વાપસી - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ

કોરોના વાઇરસને લીધે દક્ષિણ આફ્રિકામાં ફસાયેલા લગભગ 1500 ભારતીયોને રવિવારે પરત લાવવામાં આવશે. કોવિડ-19 મહામારીને કારણે દક્ષિણ આફ્રિકામાં કેટલાય વ્યવસાયોમાં પોતાનું કામકાજ બંધ કરવામાં આવ્યું છે, જેને લીધે સ્થાનિક કંપનીઓની સાથે જોડાયેલા કેટલાય ભારતીયના અનુબંધ સમયપૂર્વ ખતમ થઇ ગયા છે.

1,500 Indians to be repatriated from S Africa on Sunday
1,500 Indians to be repatriated from S Africa on Sunday

By

Published : Jul 12, 2020, 1:19 PM IST

જોહાનિસબર્ગઃ કોરોના વાઇરસ મહામારીને કારણે લાગેલી પાબંધિઓને લીધે દક્ષિણ આફ્રિકામાં ફસાયેલા લગભગ 1500 ભારતીયોને રવિવારે પરત લાવવામાં આવશે.

ભારતીયોની વતન વાપસીની વ્યવસ્થા ઇન્ડિયા ક્લબ નામના સમૂહે કરી છે. આ પહેલા પણ સમૂહ તરફથી ભારતીયોને પરત લાવવા માટે એક ઉડાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોવિડ-19 મહામારીને કારણે દક્ષિણ આફ્રિકામાં કેટલાય વ્યવસાયોએ પોતાનું કામકાજ બંધ કર્યું છે. જેને લીધે સ્થાનીય કંપનીઓની સાથે જોડાયેલા કેટલાય ભારતીયોના અનુબંધ સમયપૂર્વ પુરા થયા છે.

બેંગ્લુરૂના એવા 50થી વધુ આઇટી પેશેવર દક્ષિણ આફ્રિકામાં ફસાયેલા હતા. તે પણ આ ઉડાનથી પરત આવનારા યાત્રિકોમાં સામેલ છે. આ યાત્રિકોમાં દક્ષિણ આફ્રિકાના 14 નાગરિકો પણ સામેલ છે, જે અવકાશ પર ઘર આવ્યા હતા અને ભારતીય ખદાનોમાં પોતાના કામ પર પરત આવી રહ્યાં છે. ભારત સરકારના વંદે ભારત મિશન હેઠળ હજારો ભારતીયોના દક્ષિણ આફ્રિકાથી પરત લાવવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details