ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સહારનપુરમાં મસ્જિદમાં એક સાથે નમાઝ અદા કરતા 15 લોકોની ધરપકડ - 15 sent to jail to do namaj

સહારનપુરમાં પોલીસે લોકડાઉનમાં રમઝાન દરમિયાન મસ્જિદમાં નમાઝ અદા કરતા લોકોને પોલીસે પકડ્યા હતા.

સહારનપુર
સહારનપુર

By

Published : May 2, 2020, 6:29 PM IST

સહારનપુર (ઉત્તર પ્રદેશ) : પોલીસે લોકડાઉનમાં રમઝાન દરમિયાન મસ્જિદમાં નમાઝ અદા કરતા લોકોને પોલીસે પકડ્યા હતા. આ લોકો નમાઝ અદા કરવા મસ્જિદમાં ભેગા થયા હતા. નાગલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમાહી ગામની મસ્જિદમાં લોકો નમાઝ વાચી રહ્યા હતા. સૂચના બાદ નાગલ પોલીસે તેઓની ધરપકડ કરી.

લોકડાઉનમાં પોલીસ પ્રશાસન અને ધાર્મિક ગુરુઓ દ્વારા ઘણી વાર સમજાવ્યા પછી પણ લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા અને સતત લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો સહારનપુરના નાગલ ક્ષેત્રમાં આવ્યો છે. જ્યાં પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે કે જેઓ એક સાથે નમાઝ અદા કરી રહ્યા હતા.

આ ઉપરાંત પોલીસે આ લોકો સામે કલમ 188, 269, 270 નોંધી ગુનો દાખલ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details