ગુજરાત

gujarat

નેપાળમાં ધોધમાર વરસાદ, પૂર તેમજ ભૂસ્ખલનથી 15નું મોત

By

Published : Jul 13, 2019, 1:29 PM IST

કાઠમાંડુ : નેપાળમાં મુશળધાર વરસાદને કારણે પૂરની સાથે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઇ હતી, ત્યારે આ ભૂસ્ખલનમાં લગભગ 15 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે છ લોકો લાપતા છે.

નેપાળ : પૂર તેમજ ભૂસ્ખંલનથી 15નું મોત, વડાપ્રધાને ટ્વીટ કર્યું

નેપાળ આપાતકાલીન કાર્યસંચાલ કેન્દ્રના પ્રમુખ બેદ નિધી ખાનલે જણાવ્યું હતું કે, દેશભરમાં લગભગ 200થી વધારે સ્થાનોને ચોમાસા સાથે સંકળાયેલી આપત્તિઓને કારણે અતિસંવેદનશીલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બચાવ દળ, રાહતકાર્યો તેમજ તપાસ અને બચાવ કામગીરીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

હાલમાં નેપાળની રાજધાની કાઠમાંડુના કેટલાક ભાગો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

આ મૃતકોમાં એક જ પરિવારના ત્રણ લોકો સામેલ હતા. કાઠમાંડુ સ્થિત તેમના ઘરની દિવાલ ધરાશાયી થતા તેઓ તેમની ઝપેટમાં આવી ગયા હતા. તો બીજી બાજુ અન્ય લોકો પૂર્વના ખોતાંગ જિલ્લામાં એક ભૂસ્ખલનમાં માર્યા ગયા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં રવિવાર સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details