ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LIVE NEWS: પીડિત પરિવારોને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીના ધરણાનો અંત

By

Published : Jul 20, 2019, 9:43 AM IST

Updated : Jul 20, 2019, 3:22 PM IST

LIVE NEWS: પ્રિયંકાના ધરણાં યથાવત, કહ્યુ- જામીન નહી લવ, જેલ જવા તૈયાર

12:56 July 20

સોનભદ્ર જઈ રહેલા કોંગી નેતાઓની વારાણસી એરપૉર્ટ પર અટકાયત

સોનભદ્ર જઈ રહેલા કોંગી નેતાઓની વારાણસી એરપૉર્ટ પર અટકાયત

પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને વારાણસી એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા છે. તેઓ સોનભદ્ર હત્યાકાંડના પીડિત પરિવારોને મળવાં જઈ રહ્યાં હતા.

આ કોંગ્રેસી નેતાઓમાં દિપેન્દ્રસિંહ હુડ્ડા, રાજ બબ્બર, રતનજીત પ્રતાપ નારાયણ સિંહ, જીતેન્દ્ર પ્રસાદ અને રાજીવ શુક્લાને સોનભદ્ર જતાં અટકાવાયાં છે.

11:57 July 20

પ્રિયંકાનો ગંભીર આક્ષેપ, કહ્યું-વોટ્સએપથી કલમ 144 લગાવાઈ

સોનભદ્ર હત્યાકાંડને પગલે પ્રિયંકા ગાંધી વધુ આક્રમક બન્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સોનભદ્રમાં કલમ 144 વોટ્સએપ થકી લગાવવામાં આવી છે. વોટ્સએપ મેસેજથી અહીં સિસ્ટમ ચાલી રહી છે.

11:45 July 20

પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને મળ્યાં

પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને મળ્યાં

પીડિત પરિવાર અને સંબંધીઓ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળવાં માટે ચુનાર કિલા ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.

11:41 July 20

પ્રિયંકા ગાંધીનો બળાપો, કહ્યું, ભગવાન જાણે સરકારની માનસિકતા શું છે?

પ્રિયંકા ગાંધીનો બળાપો, કહ્યું, ભગવાન જાણે સરકારની માનસિકતા શું છે?

પ્રિયંકા ગાંધીએ મીડિયા સમક્ષ સરકાર ઉપર રોષ ઠાલવતા કહ્યું કે, બે પીડિત પરિવારો મને મળવા ઈચ્છે છે, ઉપરાંત અન્ય 16 પીડિતોના સંબંધીઓ મળવા માંગે છે. પરંતુ તેમને મંજૂરી આપવામાં આવતી નથી અને મને તેમની પાસે જવાની મંજૂરી નથી. ભગવાન જાણે તેમની માનસિકતા શું છે. મીડિયા થોડું દબાણ ઉભું કરે. તેમણે આવવું જોઈએ, કેમ આ લોકો મારી પાછળ પડ્યા છે.

11:33 July 20

પીડિત પરિવારોને મળવા જઈ રહેલા TMC કાર્યકર્તાઓની અટકાયત

પીડિત પરિવારોને મળવા જઈ રહેલા TMC કાર્યકર્તાઓની અટકાયત

સોનભદ્ર હત્યાકાંડ બાદ પીડિત પરિવારોને મળવા આવેલા પશ્ચિમ બંગાળના TMC સાંસદોને એરપોર્ટ પર રોકવામાં આવ્યાં છે. સોનભદ્રમાં કલમ 144 લાગુ કરાયેલી હોવાથી TMC કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે.

11:29 July 20

પીડિત પરિવારો પ્રિયંકા ગાંધીને મળવાં પહોંચ્યા

પીડિત પરિવારોને મળવાની જીદે ચઢેલા પ્રિયંકા ગાંધીના ધરણાં હજીયે યથાવત છે. ત્યારે પીડિત પરિવારો પ્રિયંકા ગાંધીને મળવા માટે આવી રહ્યાં છે.

10:33 July 20

અધિકારીઓની સમજાવટ છતાં પ્રિયંકા પીડિતોને મળવાની જીદ પર અડગ

સૌજન્ય- ANI

સોનભદ્રમાં દસ લોકોની સામૂહિક હત્યા બાદ ત્યાં કલમ 144 લગાવેલી છે. છતાં પીડિત પરિવારોને મળવા માટે પ્રિયંકા ગાંધી ત્યાં જવા માટે જીદ કરી રહ્યાં છે. તેઓ ગઈકાલ રાતથી ચુનાર કિલા ગેસ્ટ હાઉસમાં ધરણાં કરી રહ્યાં છે. આખી રાત કાર્યકર્તાઓ વચ્ચે રોકાયેલા પ્રિયંકા ગાંધીએ કેન્ટીનનું જ ભોજન લીધું અને સાઢા ચાર વાગ્યે તેઓએ ઊંઘ લીધી હતી.

પ્રિયંકાને મનાવવા માટે મિર્જાપુર અને વારણસી મંડળોના સભ્યો શનિવારે શુક્રવારે મોડી રાત્રે પહોંચ્યા. તેમની સાથે એડીજી પોીસ હાજર રહ્યાં, પરંતુ વાતચીત નિષ્ફળ રહી. સવારથી જ કાર્યકર્તાઓ ગેસ્ટ હાઉસ પહોંચી રહ્યાં છે.

ગેસ્ટ હાઉસ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે વરિષ્ઠ નેતા પીએલ પુનિયા અન્ય નેતાઓ આગળની રણનીતિ નક્કી કરી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશના ઈન્ચાર્જ પોલીસ મહાનિર્દેશ પીવી રામાશાસ્ત્રીએ જણાવ્યું કે, "પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરાઈ છે. પ્રિયંકા ગાંધીને શુક્રવારે એસડીએમથી સોનભદ્ર જતા રોકવામાં આવ્યા હતા. એસડીએમ દ્વારા પોતાની સત્તાની રૂએ વિસ્તારમાં 144 લગાવવામાં આવી છે. 144ના ઉલ્લંઘન બદલ પ્રિયંકાની અટકાયત કરાઈ છે. પ્રિયંકાને બોન્ડ ભર્યા બાદ છોડવામાં આવશે."

08:24 July 20

મિર્જાપુરઃ ચુનાર ગેસ્ટ હાઉસમાં છેલ્લા કેટલાય કલાકોથી ધરણા પર બેઠેલી પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓના ધરણાં યથાવત છે.

LIVE NEWS: પ્રિયંકાના ધરણાં યથાવત, કહ્યુ- જામીન નહી લવ, જેલ જવા તૈયાર

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સામૂહિક હત્યાકાંડ બાદ પીડિત પરિવારોને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીને રોકવામાં આવ્યા હતા. બાદમાં પ્રિયંકા ગાંધી  અને કોંગ્રેસ કાર્યકર્તાઓ ધરણાં પ્રદર્શન પર બેઠાં છે. પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે તે કોઈ પણ કાળે જામીન નહી લે, કારણ કે તેમણે કોઈ પણ ખોટું કાર્ય કર્યું નથી.

મિર્જાપુર સ્થિત ચુનાર ગેસ્ટ હાઉસમાં શનિવારની સવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પક્ષના કાર્યકર્તાઓ ધરણાં પર બેઠાં છે. તેમની કાલે પોલીસે અટકાયત કરી હતી. પ્રિયંકા ગાંધી કોઈ પણ સંજોગોમાં પીડિત પરિવારોને મળવાં માટે અડગ છે.

Last Updated : Jul 20, 2019, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details