કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર ગ્લોબલ રિસર્ચ (CGHR) દ્વારા ભારત અને યુ.કેની ભાગીદારી સાથે આ સંશોધન કરવામાં આવ્યુ છે.
સર્પદંશ અને ભારતમાં મરણ
By
Published : Jul 12, 2020, 9:47 PM IST
અહેવાલ પર સંક્ષિપ્ત નજર
· ભારતમા 2001 થી 2014 સુધીમાં ર ભારતમાં નોધાયેલા કુલ મરણમાં 6 લાખ 11 હજાર 483 મરણમાં તપાસ કરતા 2833 મરણ સર્પદંશથી થયા હોવાનું વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. વર્ષ 2001 થી 2014 દરમિયાન તપાસ 87, 590 સંર્પદંશને આધારે રિપોર્ટમાં સમીક્ષા કરવામાં આવી હતી..
· જુનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસાના સમયગાળામાં કુલ આંકડાના અડધા જેટલા મરણ થયા છે.
સંશોધન અભ્યાસનો અંદાજ
· વર્ષ 2000 થી વર્ષ 2019 દરમિયાન ભારતમાં 12 લાખ લોકોના મરણ થયા હોવાનો અંદાજ છે. જે વર્ષના સરેરાશ 58 હજાર મૃત્યુ છે.
· મૃતકોમાં 30 વર્ષથી 69 વર્ષની લોકોનો સમાવેશ થાય છે. તો ચોથાભાગના મૃતકોમાં 15 વર્ષથી નીચેના બાળકો છે.
· મોટાભાગના સર્પદંશની ઘટના ગ્રામીણ વિસ્તારોમાં બની છે અને 70 ટકાથી વધારે ઘટના વરસાદની ઋતુમાં આઠ જેટલા રાજ્યોમાં બની છે.
· 70 વર્ષની વયે સર્પદંશથી મૃત્યુ થવાનું જોખમ 250 માંથી એક પર રહેલુ છે પણ કેટલાંક વિસ્તારોમાં આ પ્રમાણ ચિંતાજનક રીતે વધારે છે.
· વધુ ક્રૂરતાપૂર્વક, અમે 2015 માં 1.11-11.77 મિલિયન ડંખનો અંદાજ લગાવ્યો છે, જેમાંથી 70% એ એન્વેનોમેશનના લક્ષણો દર્શાવ્યા હતા.
· સૌથી ચિંતાજનક બાબત એ છે કે દશ લાખ 11 હજારથી દશ લાખ 77 હજાર વિવિધ દંશમાં 70 ટકામાં દંશ ઝેરી હતા.
· ચાવચેતી અને સારવારની વ્યુહ રચનાથી ભારતમાં સર્પદંશના મૃત્યુદરોમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે તેમ છે.
અન્ય તારણો
· 260 મિલિયન જેટલા ભારતીયો મધ્યમ જોખમવાળા વિસ્તારોમાં રહે છે.
· ભારતમાં વર્ષ 2000 થી વર્ષ 2001 સુધીમાં 87 હજાર 590 સર્પદંશમાં વર્ષની ચકાસણી આ રિપોર્ટમાં 1417 જેટલા દસ્તાવેજોની, ચકાસણી પર આધારે તૈયાર કરાયો છે. જેમાં રાજ્યોમાંથી 78 પર અભ્યાસ કરાયો હતો.
· બાળકો અને યુવાનોમાં સર્પદંશથી મૃત્યુના દરમાં ઘટાડો થયો છે. પણ મધ્યમવર્ગના લોકોમાં મૃત્યુદર ઘટ્યો નથી.
· આમ, 70 વર્ષની વયે સર્પદંશથી મૃત્યુ પામેલા ભારતીયોમાં 250માંથી એક ને જોખમ રહેલુ છે. પરંતુ કેટલાંક વિસ્તારોમાં આ જોખમ 100માંથી એક ને રહે છે.
ભારતમાં સાપની સ્થિતિ પર એક નજરઃ
દેશમાં સાપની લગભગ 270 પ્રજાતિઓ છે. જેમાંથી 60 પ્રજાતિ ઝેરી છે અને તબીબી રીતે તેને સુસંગ માનવામાં આવે છે. જે વિવિધ સ્તરે ઝેરી હોય છે.
ઝેર વિરોધીઃ
· સર્પદંશની સારવાર માટે એક માત્ર સાપની ઝેર વિરોધી ઝેરનો ઉપયોગ થાય છે.
· ઝેર વિરોધી દવા એ મોટા ચાર સાપમાંથી કાઢવામાં આવેલા ઝેરના મિશ્રણમાંથી બનેલુ છે. જેમાં કોબ્રા, સામાન્ય ક્રેટ, રસેલ વાયપર અને પ્લાન્ટ વાયપરનો સમાવેશ થાય છે.
પડકારોઃ
· ભારતમાં ઝેરી વિરોધ ઝેર માત્ર કોબ્રા ( કે ભારતમાં ત્રણ પ્રજાતિ છે) , સામાન્ય ક્રેડ ( સાત પ્રકારના પ્રજાતિઓ), રસેલ વાયયપરના ઝેરને બેઅસર કરે છે. જ્યારે અન્ય અન્ય 12 સાપની પ્રજાતિનો દંશ જીવલેણ છે જે માટે ઝેરી વિરોધી ઝેર ઉપયોગી નથી.
· હાલની ઝેર વિરોધી ઝેરની અસર ચાર મોટાસાપ સિવાયના સર્પદંશ પર બિનઅસરકારક છે. તેની અસરકારકતા પણ દેશના અલગ અલગ ભાગો પ્રમાણે અલગ હોવાનું નિષ્ણાતો માને છે.
સર્પદંશથી 2019 દરમિયાન વિશ્વના મૃત્યુ
· વિશ્વ આરોગ્ય સંસ્થાએ હવે સર્પદંશને વૈશ્વિક આરોગ્યની પ્રાથમિકતામાં સ્થાન આપ્યુ છે.
· વિશ્વભારમાં 5.4 મિલિયન લોકોને સાપ કરડે છે તેવો અંદાજ છે.
· સર્પદંશના પરિણામે દર વર્ષે એક લાખ લોકો મૃત્યુ પામે છે.
· સર્પદંશને કારણે ચાર લાખ લોકો વિકંલાગ થયા કે નુકશાન થયુ છે.
સ્ત્રોતઃ WHO
વર્ષ 2000 થી વર્ષ 2019 દરમિયાન ભારતમાં સર્પદંશી મૃત્યુ નો આંક
સર્પદંશ
મરણ
તમીલનાડુ
51198
371
આંધ્ર પ્રદેશ
6283
1457
કર્ણાટક
5281
139
મહારાષ્ટ્
4884
432
તેલંગાના
3956
92
ગુજરાત
3628
91
કેરાલા
3169
131
પશ્ચિમ બંગાળ
2370
345
છત્તીસગઢ
2084
52
હિમાચલ પ્રદેશ
1442
28
બિહાર
1171
29
દાદરાનગર હવેલી
384
1
ઝારખંડ
356
19
ઉત્તરાખડ
329
4
ચંદીગઢ
297
6
ઉત્તરપ્રદેશ
249
90
ગોવા
244
0
ઓડીશા
101
33
ન્યુ દિલ્હી
62
0
પોંડીચેરી
50
9
હરિયાણા
17
0
મેઘાલાયા
13
0
દમણ અને દીવ
12
0
જમ્મુ-કાશ્મીર
10
0
કુલ
87,590
3329
સાપના કરડવાની બચવા માટેના ઉપાયો
· સર્પદંશનો ભોગ બનનાર મુખ્ય ગ્રામીણ ખેડૂતો અને તેમના પરિવારો છે
· નિષ્ણાંતો સુચવે છે કે કેટલીક સાવચેતી અને સામાન્ય પધ્ધતિનેના અમલથી સર્પદંશથી બચી શકાય છે. જેમ કે વાવણી અને કાપણી દરમિયાન રબ્બરના બુટ અને ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો, મછ્છરદાની અને ટોર્ચનો ઉપયોગ કરવાથી જોખમને ઘટાડી શકાય છે.
· સાથેસાથે સાપની પ્રજાતિ અંગે માહિતી મેળવવી અને તેના ડંશની માનવ પર અસર અંગે પણ જાણકારી રાખવી.
સર્પદંશથી બચવા નીચેના પગલા લેવાશે
· સૌથી વધુ જરુરિયાત વાળા વિસ્તાર અને વસ્તીમાં અસરકારક ઝેર વિરોધી દવાનું વિતરણ કરવુ જરુરી છે. ઝેરી દવાના અસરકારક ઉપયોગ અગે સમજણ કેળવવી.