ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેપાળમાં ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થળો માટે 'ભારત ગૌરવ પ્રવાસન ટ્રેન'ને મળી મંજૂરી

નેપાળ સરકારે IRCTCની 'ભારત ગૌરવ' ટ્રેનને (Government Of Nepal Allowed Bharat Gaurav Train To Run) અહીં ચલાવવાની પરવાનગી આપી છે. આ સાથે, ભારતથી આ પડોશી દેશમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવા માટે પ્રથમ પ્રવાસી ટ્રેનનો માર્ગ મોકળો થયો છે.

By

Published : Jun 9, 2022, 1:35 PM IST

નેપાળમાં ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થળો માટે 'ભારત ગૌરવ પ્રવાસન ટ્રેન'ને મુલાકાત લેવાની મળી મંજૂરી
નેપાળમાં ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થળો માટે 'ભારત ગૌરવ પ્રવાસન ટ્રેન'ને મુલાકાત લેવાની મળી મંજૂરી

નવી દિલ્હી: નેપાળ સરકારે IRCTCની 'ભારત ગૌરવ' ટ્રેનને (Government Of Nepal Allowed Bharat Gaurav Train To Run) અહીં ચલાવવાની પરવાનગી આપી છે. આ સાથે, ભારતથી આ પડોશી દેશમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવા માટે પ્રથમ પ્રવાસી ટ્રેનનો માર્ગ મોકળો થયો છે. આ ટ્રેન નેપાળમાં ભગવાન રામ સાથે સંકળાયેલા સ્થાનો જેમ કે ધનુષા પહાડ, બાવન બિઘા વિસ્તાર, મા જાનકી જન્મસ્થલી મંદિર અને શ્રી રામ લગ્ન સ્થળ પરથી પસાર થશે.

આ પણ વાંચો:Presidential Election 2022 : આજેરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ કરશે જાહેર

'ભારત ગૌરવ' ટ્રેન :નેપાળે તેના પત્રમાં જણાવ્યું હતું કે, નેપાળ સરકારના વિદેશ મંત્રાલયને ભગવાન રામના જીવન સાથે સંબંધિત મુખ્ય તીર્થયાત્રાઓ માટે ભારતથી નેપાળમાં 23 જૂન, 2022ના રોજ 'ભારત ગૌરવ' ટ્રેનને આવવા અને જાવા માટે નેપાળ સંબંધિત એજન્સીની મંજૂરી વિશે જાણ કરવી સન્માનની વાત છે. વિનંતી કરવામાં આવે છે કેમાનવ માટે એક વખતની પ્રવૃત્તિ તરીકે મંજૂરી આપવામાં આવે. પ્રથમ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 21 જૂને નવી દિલ્હીથી શ્રી રામાયણ યાત્રા સર્કિટ માટે રવાના થશે. આ ટ્રેન 8,000 કિમીનું અંતર કાપશે.

આ પણ વાંચો:'50 હજાર આપો અને પુત્રના મૃતદેહને લઈ જાવ', લાચાર માતા-પિતા માગી રહ્યા છે ભીખ

ABOUT THE AUTHOR

...view details