- જીવલેણ કોરોના વાઈરસ સામે તૈયૈર થઈ રહી છે રસી
- 30 ડિગ્રી તાપમાનમાં કરી શકાશે સ્ટોર
- આરોગ્યની દ્રષ્ટિએ આ રસી ખૂબ મહત્વની
બેંગલુરુ: દેશના IT હબ બેંગલોર ખાતેની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ(IISc) જીવલેણ કોરોના વાઈરસ સામે એવી રસી તૈયાર કરી રહી છે, જે સરળતાથી 30 ° સે રૂમના તાપમાને સંગ્રહિત કરી શકાય છે અને તે દેશમાં કોરોના રોગચાળા સામે એક સફળ અને અસરકારક પગલું હશે.
ગુરુવારે IIScના ડિરેક્ટર ગોવિંદન રંગરાજન સાથેની વાતચીત બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન ડો. કે. સુધાકરે આ વાત કહી હતી. આરોગ્ય પ્રધાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, જાહેર આરોગ્યની દ્રષ્ટિએ આ રસી ખૂબ મહત્વની રહેશે. કારણ કે સરકાર તેને આખા દેશમાં ખૂબ જ ઝડપથી વિતરણ કરવામાં સમર્થ હશે.
આ પણ વાંચો: સ્પુતનિક વી રસી ભારતમાં 995 રૂપિયામાં મળશે
હાલની રસી કરતા વધુ અસરકારક
ડો. કે. સુધાકરે વધુમાં કહ્યું કે, IISc ખાતેની રસી તજજ્ઞ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને આનું પરિણામ ભારતમાં હાલની રસી કરતા વધુ અસરકારક સાબિત થશે.