બાંગ્લાદેશ:રોહિંગ્યા પ્રવાસી બાંગ્લાદેશ પર 'મોટો બોજ' છે અને બાંગ્લાદેશ તેઓ તેમના વતન પાછા ફરે તે સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ લઈ રહ્યું છે. આ અંગે જણાવતા વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, ભારત સમસ્યાના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ન્યૂઝ એજન્સી ANI (News agency ANI) સાથેની વાતચીતમાં હસીનાએ સ્વીકાર્યું કે, બાંગ્લાદેશમાં લાખો રોહિંગ્યાઓની હાજરીએ તેમના શાસન સામે પડકારો ઊભા કર્યા છે. તેણે કહ્યું, તમે જાણો છો, તે અમારા માટે મોટો બોજ છે. ભારત એક વિશાળ દેશ છે. તમે વ્યવસ્થા ગોઠવી શકો છો, પરંતુ બાંગ્લાદેશમાં અમારી પાસે 1.1 મિલિયન (One million Rohingya migrate to Bangladesh) રોહિંગ્યા છે. અમે આંતરરાષ્ટ્રીય સમુદાય અને અમારા પડોશી દેશો સાથે પરામર્શ કરી રહ્યા છીએ, તેઓએ પણ કેટલાક પગલાં લેવા જોઈએ જેથી કરીને તેઓ સ્વદેશ પાછા જઈ શકે.
રોહિંગ્યા પ્રવાસી પર હસિનાનો ટોણો, કહ્યું બાંગ્લાદેશ પર મોટો બોજો - ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ એક નીવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, તેમની સરકારે માનવતાવાદી પાસાને ધ્યાનમાં રાખીને વિસ્થાપિત સમુદાયની કાળજી લેવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, અમે તેમને માનવતાના ધોરણે આશ્રય આપ્યો છે, પરંતુ તેઓ ક્યાં સુધી અહીં રહેશે? તેઓ દેશની આંતરિક સુરક્ષા માટે પણ ખતરો છે. Bangladesh Prime Minister Sheikh Hasina, Rohingya migration, One million Rohingya migrate to Bangladesh Sheikh Hasina
![રોહિંગ્યા પ્રવાસી પર હસિનાનો ટોણો, કહ્યું બાંગ્લાદેશ પર મોટો બોજો બાંગ્લાદેશ શેખ હસીના: દસ લાખથી વધુ રોહિંગ્યા પ્રવાસી એક મોટો બોજ છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16280421-thumbnail-3x2-hasina.jpg)
રોહિંગ્યા સમુદાયને આપી રસી બાંગ્લાદેશના વડા પ્રધાનશેખ હસીનાએ કહ્યું કે, તેમની સરકારે માનવતાવાદી પાસાને ધ્યાનમાં રાખીને વિસ્થાપિત સમુદાયની કાળજી લેવાનો પ્રયાસ કર્યો છે. તેણે કહ્યું કે હા, અમે માનવતાના આધાર પર તેમને આશ્રય આપીએ છીએ. આ કોવિડ દરમિયાન, અમે તમામ રોહિંગ્યા સમુદાયને રસી (Rohingya community vaccinated in Bangladesh) આપી, પણ તેઓ અહીં ક્યાં સુધી રહેશે? તેઓ કેમ્પમાં રહે છે. જે આપણી આંતરિક સુરક્ષા માટે ખતરનાક બની શકે છે. કેટલાક લોકો ડ્રગ અને મહિલાઓની હેરફેર અથવા હિંસક સંઘર્ષમાં સામેલ હોવાનું પણ જાણવા મળ્યું છે. દિવસેને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે. તેથી તેઓ જેટલા વહેલા સ્વદેશ પરત ફરશે તેટલું આપણા દેશ અને મ્યાનમાર માટે સારું રહેશે. તેથી અમે તેમની સાથે અને આંતરરાષ્ટ્રીય સમુદાય જેમ કે, ASEAN અથવા UNO, પછી અન્ય દેશો સાથે ચર્ચા કરી રહ્યા છીએ.
વડાપ્રધાન હસીનાની ભારત મુલાકાત વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, તેમના દેશે રોહિંગ્યાઓને જ્યારે તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે તેમને આશ્રય આપ્યો હતો. હસીનાએ કહ્યું કે, હવે તેણે પોતાના દેશ પરત જવું જોઈએ. તેમણે કહ્યું કે મને લાગે છે કે, પાડોશી દેશ તરીકે ભારત આમાં મોટી ભૂમિકા ભજવી (India can play a big role) શકે છે. વડાપ્રધાન હસીના સોમવારથી તેમની ચાર દિવસીય ભારત મુલાકાત શરૂ કરવાના છે. ઇન્ટરવ્યુ દરમિયાન, હસીનાને નદીના પાણીની વહેંચણી પર ખાસ કરીને તિસ્તા નદીના સંદર્ભમાં ભારત સાથેના તેમના દેશના સહયોગ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. હસીનાએ કહ્યું કે, પડકારો છે, પરંતુ તે એવી વસ્તુ નથી કે જેને એકબીજા સાથે મળીને ઉકેલી ન શકાય. તેઓએ કહ્યું કે, તમે જાણો છો, અમે ડાઉનસ્ટ્રીમમાં છીએ. પાણી ભારતમાંથી આવી રહ્યું છે, તેથી ભારતે સમસ્યાને વધુ વ્યાપક રીતે જોવી જોઈએ. જેથી બંને દેશોને ફાયદો થાય. કેટલીકવાર આપણા લોકોને ઘણું દુઃખ થાય છે. ખેડૂતો પાક ઉગાડી શકતા નથી. અમને આશા છે કે, તેનું નિરાકરણ આવશે.