ગંગોત્રી:બાબા રામદેવ મંગળવારે સાંજે,(Baba Ramdev) ગંગોત્રી હિમાલયમાં નવા ઔષધીય છોડની શોધ સંબંધિત અભિયાન માટે ગંગોત્રી ધામ પહોંચ્યા હતા.(Baba Ramdev in Gangotri Dham) આ અંતર્ગત, આજે વહેલી સવારે તેમણે ભાગીરથી પર યોગની શરૂઆત (Beginning of yoga on Bhagirathi) કરી હતી. NIM, IMF અને પતંજલિ આયુર્વેદ ગંગોત્રીના રક્તવર્ણા, ગ્લેશિયર ક્ષેત્રમાં નવા ઔષધીય છોડ તેમજ સાહસિક રમતો માટેના, નવા સ્થળોની શોધ કરવા માટે સાથે આવ્યા છે. જેની એક સંયુક્ત અભિયાન ટીમ, બુધવારે ગંગોત્રીના રક્તવર્ણા ગ્લેશિયર વિસ્તારમાં શોધ માટે રવાના થઈ ગઈ છે.
આયુર્વેદિક દવાઓની શોધમાં, ગંગોત્રી પહોંચ્યા બાબા રામદેવ - ભાગીરથી પર યોગની શરૂઆત
બાબા રામદેવ હિમાલયમાં, નવા ઔષધીય છોડની શોધ સંબંધિત અભિયાનમાં ગંગોત્રી ધામ પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે વિદેશથી આવેલા તીર્થયાત્રીઓ અને પુરોહિતોને મા ગંગાને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા આપી હતી. આ સાથે બાબાએ, યોગ કરીને ધામમાં પહોંચેલા યાત્રિકોને માહિતી આપી હતી. Baba Ramdev, Baba Ramdev in Gangotri Dham, Beginning of yoga on Bhagirathi
![આયુર્વેદિક દવાઓની શોધમાં, ગંગોત્રી પહોંચ્યા બાબા રામદેવ Etv Bharatઆયુર્વેદિક દવાઓની શોધમાં, ગંગોત્રી પહોંચ્યા બાબા રામદેવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16371014-thumbnail-3x2-baba.jpg)
ઉત્તરાખંડને સાંસ્કૃતિક રાજધાની બનાવીશું:વિશ્વની બાબા રામદેવે બુધવારે સવારે ભાગીરથીના કિનારે ગંગોત્રી ધામમાં યોગ કર્યા હતા.તેમના સાથી આચાર્ય બાલકૃષ્ણએ, આ સમયગાળા દરમિયાન યજ્ઞ પૂજા કરી હતી. પતંજલિ આયુર્વેદ, નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM) અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (IMF)ની સંયુક્ત અભિયાન ટીમને મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ફ્લેગ ઑફ કર્યા હતા.સીએમ ધામીએ કહ્યું કે અમે સંકલ્પ કર્યો છે કે અમે ઉત્તરાખંડને વિશ્વની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રાજધાની બનાવીશું અને આ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 31 લાખથી વધુ ભક્તોએ અમારા ચાર ધામની મુલાકાત લીધી છે. આ પોતાનામાં જ એક મોટો રેકોર્ડ છે.
ધામી સરકારના વખાણ:બાબા રામદેવે કહ્યું કે ઉત્તરાખંડમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો છે. બુધવારે ગંગોત્રી પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે, આવનારા સમયમાં ઉત્તરાખંડ વિશ્વની સૌથી આધ્યાત્મિક રાજધાની બનશે. જેનો ઈતિહાસ ઉત્તરાખંડમાં લખવા લાગ્યો છે.યોગગુરુ રામદેવે કહ્યું કે, ઉત્તરાખંડ મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રાજધાની બનવા જઈ રહ્યું છે. આયુર્વેદના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરવા માટે ઉત્તરાખંડ માટે, પતંજલિ સરકાર સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે,યુવા મુખ્યપ્રધાનથી જ રાજ્યનો વિકાસ શક્ય બની શકે છે.