પ્રયાગરાજઃ તારીખ 15 એપ્રિલ શનિવારની રાત્રે માફિયા અતીક અહેમદ અને અશરફના મોતથી ખાલી ઉત્તરપ્રદેશ નહીં, પરંતુ સમગ્ર ભારતની જાણે ધરા ધ્રુજી હોય તેવું લાગ્યું હતું. વિકેન્ડના સમયમાં લોકો રાત્રે આરામ ફરમાવી રહ્યા હતા. તે સમયે અચાનક સનસની સમાચારથી ગોળીઓના નાદથી લોકોના હૃદયબેસી જાય તેવા સમાચાર સામે આવ્યા હતા. આ કેસમાં રાજકારણ તો ગરમાઈ ગયું છે.
પાકિસ્તાન ક્નેક્શનઃ અત્યારે સમાજમાં હિન્દુ મુસ્લિમમાં વિવાદ અને જાત-નાતના ભેદભાવ વધી ગયા છે. લોકોને એક બિજાની નાત સાથે ભેદભાવ અને રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે માફિયા અતીક અહેમદ અને અશરફના મોત બાદ થયેલી FIRમાં એક નવો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવ્યું છે કે અતીક પાકિસ્તાનથી આરડીએક્સ મેળવતો હતો. પ્રયાગરાજમાં બે વખત કોર્ટમાં રજૂ થયા બાદ જ્યારે એમનું મેડિકલ ચેકઅપ થવાનું હતું એ સમયે એની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.
FIRમાં એક નવો ખુલાસો:માફિયા અતીક અહેમદ અને અશરફના મોત બાદ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં એક નવો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવ્યું હતું કે માફિયા અતીક અહેમદે પાકિસ્તાનથી એકે 47, પિસ્તોલ.45, સ્ટેનગન અને આરડીએક્સ મંગાવ્યા હતા. તેણે તેના માટે ચૂકવણી પણ કરી હતી. અતીક જે વ્યક્તિ દ્વારા પંજાબમાંથી વિદેશી હથિયાર મેળવતો હતો, તે જ વ્યક્તિ કાશ્મીરના અલગતાવાદી સંગઠનને હથિયાર આપતો હતો. અતીકે કહ્યું હતું કે આ સંસ્થા કંઈક મોટું કરવાનો પ્રયાસ કરી રહી છે. આ તમામ ખુલાસા અતીકે પોલીસ કસ્ટડી રિમાન્ડમાં કર્યા હતા.