ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Atiq and Ashraf: અતીક અને અશરફને દફનાવવામાં આવ્યા - Atiq and Ashraf

અતીક અહેમદ અને અશરફના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહને કબ્રસ્તાન લાવવામાં આવ્યા હતા. પ્રયાગરાજમાં કસારી મસારીના કબ્રસ્તાનમાં અતીક અહેમદ અને અશરફને દફનાવવામાં આવ્યા હતા. દફનવિધિમાં અતીક અહેમદના બે સગીર પુત્રો અને અશરફની બે પુત્રીઓ હાજર રહ્યા હતા.

અતીક અને અશરફની દફનવિધિ
અતીક અને અશરફની દફનવિધિ

By

Published : Apr 16, 2023, 8:19 PM IST

Updated : Apr 16, 2023, 8:36 PM IST

પ્રયાગરાજ: પ્રયાગરાજમાં અતિક અહેમદ અને અશરફના મૃતદેહને પ્રયાગરાજના કસારી મસારી કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા છે. અતીક અહેમદના બે પુત્રો અને અશરફની બે પુત્રીઓ દફનવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. કબ્રસ્તાનમાં કબરોની આજુબાજુ ભારે સુરક્ષા દળની વચ્ચે દફનવિધિ કરવામાં આવી હતી.

અતીક અને અશરફની દફનવિધિ: અતીક અને અશરફના મૃતદેહોને સીધા કસારી-મસારી કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યા હતા. અતીકના 20થી 25 સંબંધીઓ અહીં હાજર રહ્યા હતા. તે જ સમયે, અતીક અહેમદના બંને સગીર પુત્રોને પોલીસની સુરક્ષામાં કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા હતા. સાથે જ અશરફની બંને દીકરીઓને પણ કબ્રસ્તાનમાં પહોંચી હતી.

RAF અને PAC તૈનાત:કબ્રસ્તાનમાં કબરોની આજુબાજુ ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવી હતી. આ અતિક અહેમદનું પૈતૃક કબ્રસ્તાન છે. અહીં અતીક અહેમદના દાદા, પિતા હાજી ફિરોઝ અહેમદ, માતા અને પુત્ર અસદની કબરો છે. અતીક અહેમદ અને અશરફના મૃતદેહોને પણ અહીં દફનાવવામાં આવ્યા હતા. સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મૃતદેહોનું પોસ્ટમોર્ટમ: એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બપોરે એક વાગ્યે શરૂ થઈ હતી. બપોરે બે વાગ્યે કેલ્વિન હોસ્પિટલમાં અતિક અને અશરફના મૃતદેહોનો એક્સ-રે કરવામાં આવ્યો હતો. આ પછી બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અતીકને 10 ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અશરફને 5 ગોળી વાગી હોવાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે.

આ પણ વાંચો:Mafia Atiq Ashraf Murder Case: અતીક-અશરફ ઉપરાંત અન્ય ઘણા કુખ્યાત ગુનેગારોની પોલીસ સામે થઈ ચુકી છે હત્યા

કબ્રસ્તાનની આસપાસ ફોર્સ તૈનાત:કસારી મસારી સ્મશાનમાં પોલીસે 100થી વધુ લોકોને એન્ટ્રી આપી હતી. ઘણા લોકોને પોલીસે બહાર રોક્યા છે. લોકો કહે છે કે અતીક તેમના વિસ્તારના ધારાસભ્ય હતા, તેથી જ તેમને છેલ્લી વખત સુપુરદે-એ-ખાકમાં જોડાવાની મંજૂરી આપવી જોઈએ. એન્ટ્રી ન આપવા પર લોકોએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તે જ સમયે, સુરક્ષાના દૃષ્ટિકોણથી, પોલીસે કબ્રસ્તાનની આસપાસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. લોકોને કબ્રસ્તાનના દરવાજા પર જ રોકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Atiq -Ashraf Murder case : અતીક-અશરફની હત્યા કરનારા ત્રણેય શૂટરોના 14 દિવસના રિમાન્ડ મંજૂર

Last Updated : Apr 16, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details