- 59 મીડિયમ રેજિમેન્ટમાં ફરજ બજાવી રહેલા પરવીન કુમારે કરી આત્મહત્યા
- પોતાની સર્વિસ રાઈફલ વડે માથા પર ગોળી મારીને જીવાદોરી ટૂંકાવી હતી
- પોલીસે આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી
શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં ફરજ બજાવી રહેલા એક આર્મી જવાને રવિવારે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરવીન કુમાર નામના આ જવાને ખુદની સર્વિસ રાઈફલ વડે ગોળી ધરબી દીધી હતી. પોલીસે આ સંદર્ભે ગુનો નોંધ્યો છે અને આત્મહત્યા કરવા પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.