ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રીય આરોગ્ય મંત્રીની મહત્વની બેઠક, કોવિડ રસીકરણ વધારવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા - Union Health Minister Mansukh Mandvia

કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન(Union Health Minister)મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું હતું કે હું આજે રાજ્યોના સ્વાસ્થ્ય પ્રધાનોને મળી રહ્યો છું. કોવિડ રસીકરણ, ઇમરજન્સી કોવિડ પેકેજ અને અન્ય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી 'પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન' યોજના પર પણ વાત કરવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીની મહત્વની બેઠક, કોવિડ રસીકરણ વધારવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા
કેન્દ્રીય આરોગ્ય મંત્રીની મહત્વની બેઠક, કોવિડ રસીકરણ વધારવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા

By

Published : Oct 27, 2021, 7:50 PM IST

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા રાજ્યોના સ્વાસ્થ્ય પ્રધાનોને મળશે
  • કોવિડ રસીકરણ વધારવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાની આ બેઠક મહત્વની રહેશે

દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા(Mansukh Mandvia)એ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન દેશમાં કોવિડ રસીકરણ અભિયાન(Covid vaccination campaign)ને આગળ વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં દેશમાં કોરોના રસીકરણનો આંકડો સો કરોડને વટાવી ગયો છે.ત્યારે સમગ્ર દેશમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે, ત્યારે કોવિડ ઇમરજન્સી રિસ્પોન્સ પેકેજ અને વધતા રસીકરણને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 રસીનો બીજો ડોઝ મેળવનાર લાભાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી છે. દેશમાં અત્યાર સુધીમાં લોકોને રસીના 103.53 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 13,451 નવા કેસ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 13,451 નવા કેસ નોંધાયા છે, જેના પછી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 3,42,15,653 થઈ ગઈ છે. જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 1,62,661 થઈ ગઈ છે, જે છેલ્લા 242 દિવસમાં સૌથી ઓછી છે. બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ચેપથી વધુ 585 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 4,55,653 થઈ ગયો છે.

આ પણ વાંચોઃ નેશનલ ટીવી પર ચાલું શૉમાં શોએબ અખ્તરની થઈ બેઇજ્જતી, આપી દીધું રાજીનામું

આ પણ વાંચોઃ ઇટલીમાં નજીકના સંબંધીઓની હાજરીમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિસેમ્બરમાં લગ્ન કરશે

ABOUT THE AUTHOR

...view details