- કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા રાજ્યોના સ્વાસ્થ્ય પ્રધાનોને મળશે
- કોવિડ રસીકરણ વધારવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે
- કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાની આ બેઠક મહત્વની રહેશે
દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા(Mansukh Mandvia)એ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન દેશમાં કોવિડ રસીકરણ અભિયાન(Covid vaccination campaign)ને આગળ વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં દેશમાં કોરોના રસીકરણનો આંકડો સો કરોડને વટાવી ગયો છે.ત્યારે સમગ્ર દેશમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે, ત્યારે કોવિડ ઇમરજન્સી રિસ્પોન્સ પેકેજ અને વધતા રસીકરણને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 રસીનો બીજો ડોઝ મેળવનાર લાભાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી છે. દેશમાં અત્યાર સુધીમાં લોકોને રસીના 103.53 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 13,451 નવા કેસ