ગુજરાત

gujarat

By

Published : Nov 12, 2021, 10:22 AM IST

ETV Bharat / bharat

આતંકવાદી સંગઠને આ રાજ્યના મુખ્યપ્રધાન સહિત રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની આપી ધમકી

હરિયાણાના અંબાલા ડિવિઝનલ રેલવે મેનેજરને (Divisional Railway Manager) લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન (Lashkar-e-Taiba terrorist organization) તરફથી ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમા અંબાલા કેન્ટ, શિમલા, ચંદીગઢ, યમુનાનગર અને સહારનપુર સહિત રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

આતંકવાદી સંગઠને રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની આપી ધમકી
આતંકવાદી સંગઠને રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની આપી ધમકી

  • ફરી વખત લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠને આપી ધમકી
  • હરિયાણાના 7 રેવલે સ્ટેશન સહિત મુખ્યપ્રધાન ખટ્ટરને ઉડાવી દેવાની ધમકી
  • આ અગાઉ ઉત્તરપ્રદેશમાં પણ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી

અંબાલા,હરિયાણા : અંબાલા ડિવિઝનલ રેલવે મેનેજરને ( Divisional Railway Manager) લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન (Lashkar-e-Taiba terrorist organization) તરફથી ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ પત્રમાં અંબાલા કેન્ટ, શિમલા, ચંદીગઢ, યમુનાનગર અને સહારનપુર સહિત રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી (Threat to blow up railway station) આપવામાં આવી છે. પત્રમાં 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર વચ્ચે બ્લાસ્ટ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સિવાય પત્રમાં મુખ્યપ્રધાન મનોહર લાલ અને હરિયાણાના રાજ્યપાલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ મામલામાં અંબાલા પોલીસે મોહમ્મદ અમીમ શેખ નામના વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. હાલ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details