મુંબઈ:અભિનેતા અક્ષય કુમારે શનિવારે માહિતી આપી હતી કે તે કોરોના વાયરસથી સંક્રમિત (akshay kumar corona positive) થયો છે. કુમાર (54)એ કહ્યું કે તેણે આ કારણે આગામી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (cannes 2022)માં ઈન્ડિયા પેવેલિયન (ગેલેરી ઓફ ઈન્ડિયા)ની મુલાકાત રદ (cannes visit canceled) કરી છે.
આ પણ વાંચો:'ધક-ધક ગર્લ' નો અદભૂત અંદાજમાં રોમેન્ટિક લૂક, હાય...કાતિલ અદાએ
કોરોના વાયરસથી સંક્રમિત: તેણે ટ્વીટ કર્યું, હું ખરેખર કાન્સ-2022માં ઈન્ડિયા પેવેલિયનમાં મારા સિનેમાની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ દુઃખની વાત છે કે, હું કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો. અનુરાગ ઠાકુર તમને અને તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જો હું ત્યાં નહીં જાઉં તો હું તમને ખરેખર યાદ કરીશ. નોંધનીય છે કે, અક્ષય કુમાર ગયા વર્ષે એપ્રિલમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
આ પણ વાંચો:શરદ પવાર પર અપમાનજનક પોસ્ટ કરવી પડી ભારે, અભિનેત્રી પોલીસ કસ્ટડીમાં