ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sharad Pawars retirement announcement: શરદ પવારની નિવૃત્તિ મામલે અજિત પવારનો અલગ સૂર - AJIT PAWAR ON SHARAD PAWARS RETIREMENT

એનસીપી પ્રમુખ શરદ પવારની નિવૃત્તિની જાહેરાત બાદ અજિત પવારે કાર્યકરોને શાંત રહેવાની સૂચના આપી છે. આ દરમિયાન તેઓની ભૂમિકા વિશે આશ્ચર્ય થાય તેવું વર્તન જોવા મળ્યું હતું. દરેક નેતાઓ રાજીનામાં મામલે પુનર્વિચાર કરવાની માગ કરી રહ્યા છે ત્યારે અજિત પવારે રાજીનામુ સહર્ષ હોય તેમ વર્તન કરી રહ્યા છે.

AJIT PAWAR ON SHARAD PAWARS RETIREMENT ANNOUNCEMENT FROM NCP PRESIDENT
AJIT PAWAR ON SHARAD PAWARS RETIREMENT ANNOUNCEMENT FROM NCP PRESIDENT

By

Published : May 2, 2023, 2:46 PM IST

મુંબઈ:NCP ના અધ્યક્ષ શરદ પાવરના રાજીનામાં મામલે રાજકારણ ગરમાયુ છે. રાજકીય પ્રતિક્રિયાઓનો દૌર પણ શરૂ થઇ ચુક્યો છે. આ દરમિયાન નેતા અજિત પવારની ભૂમિકાથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. તેઓએ સ્ટેજ પરથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શરદ પાવર પાર્ટીના પ્રમુખ નથી એનો અર્થ એ નથી કે તેઓ પાર્ટીમાં નથી.

અજિત પવારની પ્રતિક્રિયા:NCP નેતા અજિત પવારે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે કોંગ્રેસના અધ્યક્ષ ખડગે હોવા છતાં પાર્ટી સોનિયા ગાંધી ચલાવે છે તેમ જ નવા પ્રમુખ શરદ પવારના માર્ગદર્શન મુજબ કામ કરશે. અમારો પરિવાર આમ જ કામ કરતો રહેશે. શરદ પવારે કહ્યું કે તેઓ રોટલી ફેરવવા માંગે છે. આજે પણ સાહેબ પોતાની સ્થિતિ પર અડગ છે. પવારે કહ્યું કે નવા પ્રમુખને તાલીમ આપવામાં આવશે, પ્રમુખ નવી વસ્તુઓ શીખશે, તેથી ચિંતા કરશો નહીં.

અજિત પવારનું સંબોધન:NCP નેતા અજિત પવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'પવાર સાહેબે પોતે થોડા દિવસો પહેલા નેતૃત્વમાં ફેરફારની આવશ્યકતા વિશે કહ્યું હતું. આપણે તેમના નિર્ણયને તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાને લઈને પણ જોવો જોઈએ. દરેક વ્યક્તિએ સમય અનુસાર નિર્ણય લેવો પડે છે. પવાર સાહેબે નિર્ણય લીધો છે અને તે તેને પરત લેશે નહીં.'

આ પણ વાંચોNCP chief Sharad Pawar: શરદ પવારના રાજીનાથી રાજકીય માહોલ ગરમ, રાજીનામાં મામલે પુનર્વિચાર કરવાની માગ

કોંગ્રેસના મહારાષ્ટ્ર્ના અધ્યક્ષ નાના પટોલેની પ્રતિક્રિયા:મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શરદ પવાર તેમના છેલ્લા શ્વાસ સુધી જાહેર જીવનમાં રહેશે પરંતુ તેમણે આજે રાજીનામું કેમ આપ્યું તે વિષે કઈ ટિપ્પણી હાલ કરી શકાય તેમ નથી. તેઓનું રાજીનામુ મહા વિકાસ અઘાડી (MVA)ને અસર કરશે નહીં. અમે આશા રાખીએ છીએ કે એનસીપીના નવા પ્રમુખ એમવીએ સાથે રહેશે..

આ પણ વાંચોSharad Pawar: શરદ પાવરે NCP પ્રમુખ પદ છોડી દીધુ, કહ્યું રોટલો ફેરવવાનો સમય આવી ગયો છે

ABOUT THE AUTHOR

...view details