ગુજરાત

gujarat

By

Published : Sep 3, 2021, 7:55 AM IST

ETV Bharat / bharat

Aja Ekadashi 2021: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આ વ્રત

હિંદૂ ધર્મમાં એકાદશી વ્રતનું વેશેષ મહત્વ રહેલુ છે. એકાદશી તીથી ભગવાન વિષ્ળુને સમર્પિત હોઇ છે. આજે અજા એકાદશીના વ્રતની ઉજવણી કરાવમાં આવે છે. ધાર્મિંક માન્યતા અનુસાર એકાદશી વ્રત કરનારના બધા જ પાપ નષ્ટ થાઇ છે. માનવ બધા સુખ માણીને વિષ્ણુ લોકમાં જાઇ છે.

Aja Ekadashi 2021: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આ વ્રત
Aja Ekadashi 2021: ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આ વ્રત

  • ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી અજા એકાદશી
  • એકાદશી દિવશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મિની પૂજા કરમવામાં આવે
  • કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે

પાનીપત: ભાદરવો માસની કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મિની પૂજા કરમવામાં આવે છે. હિંદૂ ધર્મમાં એકાદશી વ્રતનું વેશેષ મહત્વ માનવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રો અનુસાર હર એક એકાદશીનું વ્રત કરવું જોઇએ. એકાદશી મહિનામાં 2 વાખત આવે છે. એક કૃષ્ણ પક્ષ અને બીજી શુક્લ પક્ષમાં આવે છે. ભાદરવા માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી 9માં મહિનાની 3 તારીખે મનાવવામાં આવે છે.

ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને એકાદશી ઉપવાસની કથા સંભળાવતી

પંડિત હરિશંકર શર્માએ કહ્યું કે, પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને એકાદશી ઉપવાસની કથા સંભળાવતી વખતે કહ્યું હતું કે, સતયુગમાં હરિશ્ચંદ્ર નામના એક ખૂબ જ બહાદુર અને સત્યવાદી રાજાએ રાજ કરતા હતા, તેમના સ્વપ્નમાં ઋષિ વિશ્વામિત્રને દક્ષિણા આપવા માટે તેમનું સમગ્ર રાજ્ય દાનમાં આપી દીધુ હતું. તેણે તેની પત્ની, પુત્ર અને પોતાને વેચી દીધા હતા. આ પછી તે એક ચાંડાલનો ગુલામ બન્યા હતા. જ્યારે ચાંડાલને ત્યા કામ કરતા ઘણા વર્ષો વીતી ગયા, ત્યારે તેમને તેમના કૃત્ય માટે ખૂબ જ દુ:ખ થયું. તેણે તેનાથી છુટકારો મેળવવાનો માર્ગ શોધવાનું શરૂ કર્યું. તે હંમેશા આ ચિંતામાં રહેવા લાગ્યો કે નીચા કર્મોથી છુટકારો મેળવવા મારે શું કરવું જોઈએ.

આ પણ વાંચો:શ્રાવણ માસમાં આવતી પવિત્રા એકાદશી અને બારસનું ખૂબ છે મહત્વ

એકાદશીનું વ્રત ઇચ્છિત પરિણામ મેળવવા માટે ઉજવાઇ છે.

આ ચિંતામાં રાજાના ઘણાં વર્ષો વીતી ગયા હતા, એક દિવસ તે આ ચિંતામાં બેઠો હતો, ત્યારે ગૌતમ ઋષિ ત્યાં પહોંચ્યા. રાજા ગૌતમ ઋષિને જોઈને ખૂબ પ્રસન્ન થયા. હરિશ્ચંદ્રએ નમીને તેમની દુ:ખદ કથા સંભળાવી હતી. હરિશ્ચંદ્રની દુ:ખદ કથા સાંભળી મહર્ષિ ગૌતમ દુ:ખી થયા, તેમણે રાજા રાજનને કહ્યું કે, આજથી 7 દિવસ પછી, ભાદ્રપદના કૃષ્ણ પક્ષની એકાદશી આવશે, આ એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. તમે આ એકાદશીનું પદ્ધતિસર ઉપવાસ કરો. રાત્રે જાગો, તમારા બધા પાપો નાશ પામશે. એમ કહી ગૌતમ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. તેમના મતે, રાજા હરિશ્ચંદ્રએ અજા એકાદશીના ઉપવાસ કર્યા અને જાગૃત થયા જેના કારણે તેમના પાપોનો નાશ થયો. ત્યારથી અજા એકાદશીનું વ્રત ઇચ્છિત પરિણામ મેળવવા માટે મનાવવામાં આવે છે.

આ પણ વાંચો:વર્ષની 24 એકાદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી, જાણો શું છે કથા...

અજા એકાદશી શુભ મુહૂર્ત

અજા એકાદશી શુભ મુહૂર્ત એકાદશી તિથિ ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ સવારે 06:21 વાગ્યે શરૂ થશે અને અજા એકાદશી શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ સવારે 07:44 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ મુજબ અજા એકાદશીનું વ્રત ત્રીજી સપ્ટેમ્બરે રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details