- ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં ભયંકર આગ લાગી
- આગ હોસ્પિટલના ત્રીજા માળે લાગી, ચાર બાળકોના મોત
- હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસઃ મુખ્યપ્રધાન
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલી સરકારી કમલા નેહરુ ચિલ્ડ્રન હોસ્પિટલ (Hamidia Hospital Complex)માં સોમવારે રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર બાળકોના મોતની પુષ્ટિ થઈ છે. ત્યારે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે(CM Shivraj Singh Chauhan) દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું કે, હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ(Fire in the hospital's children ward) લાગવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં આગ લાગવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ આરોગ્ય અને તબીબી શિક્ષણ મોહમ્મદ સુલેમાન તપાસ કરશે.
હોસ્પિટલના બાળકોના વોર્ડમાં 40 બાળકો હતા
રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે જણાવ્યું કે, કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં લાગેલી આગમાં મૃત્યુઆંક ચાર થઈ ગયો છે. ઘટના સમયે વોર્ડમાં 40 બાળકો હતા, જેમાંથી 36 સુરક્ષિત છે. દરેક મૃતકના માતા-પિતાને 4 લાખ રૂપિયાનું એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. હમીદિયા હોસ્પિટલ પરિસરમાં આગની માહિતી મળતા રાજ્યના તબીબી શિક્ષણપ્રધાન વિશ્વાસ સારંગ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આગ લાગ્યા બાદ હોસ્પિટલની બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારના સભ્યો તેમના બાળકોની શોધમાં હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. હંગામા વચ્ચે, એક બાળકના માતા-પિતાએ કહ્યું કે, હજુ સુધી તેમના બાળકની શોધ કરી શક્યા નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, કેટલાક માતા-પિતા તેમના બાળકો સાથે દોડતા જોવા મળ્યા હતા. બાળકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, બાળકોને બચાવવાને બદલે હોસ્પિટલનો સ્ટાફ સ્થળ પરથી ભાગી ગયો.