ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક કંપની આપણી રાજનીતીને પરિભાષિત કરવા માટે વેપાર કરી રહી છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે ટ્વીટર આપણી લોકતાંત્રિક પ્રણાલીમાં હસ્તક્ષેપ કરે છે. તેમણે કહ્યું કે એક કંપની આપણી રાજનૈતિકને પરિભાષિત કરવા માટે વેપાર કરી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મારા 2 કરોડ ફ્લોઅર્સ છે, તેમને બ્લોક કરવા એટલે કે તેમની વિચારધારાની બ્લોક કરવા જેવું છે.

By

Published : Aug 13, 2021, 1:18 PM IST

rahul
એક કંપની આપણી રાજનીતીને પરિભાષિત કરવા માટે વેપાર કરી રહી છે : રાહુલ ગાંધી

  • રાહુલ ગાંધીએ ટ્વીટર પર કર્યો હુમલો
  • એક કંપની રાજનીતીનો વેપાર કરી રહી છે: રાહુલ ગાંધી
  • કોંગ્રેસની ટ્વીટર સાથે વાતચીત

દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાના ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરવા અંગે નિવેદન આપ્યું છે. રાહુલે કહ્યું કે મારુ એકાઉન્ટ કરવાથી મારા લાખો ફ્લોઅર્સનુ અપમાન થયું છે. તેમણે કહ્યું કે દેશમાં લોકતંત્ર ખતરામાં છે.

ઘણા નેતાઓના એકઉન્ટ બ્લોક

કોંગ્રેસે દાવો કર્યો છે કે માઇક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે તેમની પાર્ટીના આધિકારીક ટ્વીટર એકાન્ટ અને પાર્ટીના 5000થી વધુ નેતાઓના ટ્વીટર એકાઉન્ટ બ્લોક કર્યા છે. કોંગ્રેસ મહાસચિવ રણદિપ સુરજેવાલ, કે.સી.વેણુગોપાલ, અજય માકન, લોકસભામા પાર્ટીના વ્હિપ મનિકમ ટૈગોરના ટ્વીટર એકાઉન્ટને લોક કરી દિધુ છે. આ બધા નેતાઓ પર ટ્વીટરના નિયમોના પાલનમાં ગડબડીનો આરોપ છે જેના કારણે ટ્વીટરે એકશન લીધુ છે.

ટ્વીટર સાથે વાત

આ મોટા નામ સિવાય પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવના ટ્વીટર એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું છે. કોંગ્રેસના મુજબ 5000થી વધુ નેતાઓના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે પાર્ટીના એક વરિષ્ઠ સાંસદ ટ્વીટર સાથે આ મૃદ્દે વાત કરી રહ્યા છે અને કેસને જલ્દી ઠાળે પાડવાની માગ કરી રહ્યા છે. કોંગ્રેસે ટ્વીટરને પત્ર લખ્યો છે કે આ વિવાદને જલ્દી પૂરો કરવામાં આવે. કોંગેસે કહ્યું કે ટ્વીટર એકાઉન્ટ બંધ કરતા પહેલા તબક્કાવાર કાર્યવાહી કરવી જોઈએ. ટ્વીટરે પહેલા ચેતાવણી આપવી જોઈએ તે બાદ કોઈ પગલા ભરવા જોઈએ.

આ પણ વાંચો : નવી સ્ક્રેપ પોલિસી જાહેર, સ્ક્રેપ સાથે સંકળાયેલા વેપારીઓથી લઈ કામદારોને નવી ઉર્જા અને સુરક્ષા મળશે

રાહુલે જવાબી કાર્યવાહી કરવી જોઈએ

ટ્વીટરની આ કાર્યવાહી પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ટ્વીટર બંન્ને પર હુમલો કર્યો છે. રાહુલે કહ્યું કે ટ્વીટરનુ એક્શન બતાવે છે કે તે એક તટસ્થ સોશ્યલ મીડિયા નથી. તે સરકારના દબાવમાં કામ કરે છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે અમને સંસદમાં બોલવાની અનુમતી આપવામાં નથી આવતી અને સોશ્યલ મીડિયા પર પણ નિયત્રણ છે. હવે અમારી પાસે એક માત્ર આશા હતી પણ હવે લાગી રહ્યું છે કે આ પ્લેટફોર્મ પણ તટસ્થ રહ્યુ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ફક્ત રાહુલ ગાંધી પર હુમલો નથી પણ આપણી લોકતાત્રિંક વ્યવસ્થા પર હમલો છે.

આ પણ વાંચો : EDએ મહેબૂબા મુફ્તી સામે દાખલ કરેલી નોટિસ અંગે આજે Delhi High Courtમાં સુનાવણી

એક કંપની રાજનીતીનો વેપાર કરી રહી છે

કોંગ્રેસ સાસંદે કહ્યું કે, આનો રાજનૈતિક રીતે પણ અસર થશે. આ લોકતાંત્રિક વ્યવસ્થા પર હુમલો છે. કોંગ્રેસ નેતા કહ્યું કે ટ્વીટર આપણી લોકતાત્રિંક વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. રાહુલે કહ્યું કે એક કંપની આપણી રાજનીતીને પરિભાષિત કરવા માટે વેપાર કરી રહી છે. રાહુલે કહ્યું કે મારા 2 લાખ ફોલોઅર્સ છે, તેમને લોક કરવા એટલે તેમના વિચારોને લોક કરવા બરાબર છે.

ABOUT THE AUTHOR

...view details