ગુજરાત

gujarat

By

Published : Jun 15, 2021, 3:08 PM IST

ETV Bharat / bharat

2021માં કેન્દ્ર સરકાર 80 કરોડ લાભાર્થીઓને આપી રહી છે મફતમાં રાશન, જાણો કઈ રીતે

ભારત સરકારે ગયા વર્ષની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના મુજબ આ વખતે 80 કરોડ લાભાર્થીઓને મફત અનાજ આપવાનું નક્કી કર્યું છે. હાલમાં દેશ કોરોના વાઈરસ (Corona Virus) ની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે દેશના ગરીબોને રાહત આપવી મહત્વપૂર્ણ છે. ભારત સરકાર આ માટે 26,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરશે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના (National Food Security Mission) ના 80 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત વિના મૂલ્યે અનાજ આપશે.

2021માં કેન્દ્ર સરકાર 80 કરોડ લાભાર્થીઓને આપી રહી છે મફતમાં રાશન, જાણો કઈ રીતે
2021માં કેન્દ્ર સરકાર 80 કરોડ લાભાર્થીઓને આપી રહી છે મફતમાં રાશન, જાણો કઈ રીતે

  • PMGKAYના 80 કરોડ લાભાર્થીઓને લાભ મળવાનો કેન્દ્ર સરકારનો દાવો
  • પરપ્રાંતિય જનતાને one nation one ration card યોજના માટે પ્રોત્સાહિત કરાશે
  • 21 જૂનથી 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને Free Vaccine અપાશે

ન્યૂઝ ડેસ્ક : મે અને જૂન 2021ના મહિનામાં ગરીબોને 5 કિલો નિ:શુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે. સરકારે નવેમ્બર સુધીમાં આશરે 80 કરોડ લાભાર્થીઓને મફત અનાજ આપવા નો નિર્ણય કર્યો છે. કોરોનાની બીજી લહેરમાં ગરીબોની પરિસ્થિતિને લઈને કેન્દ્રએ આ નિર્ણય કર્યો છે. 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોના સંકટ અને લોકડાઉનમાં ગરીબોમાં નિ:શુલ્ક રાશન વિતરણ માટે મે મહિના માટે ફાળવેલા તમામ અનાજનો જથ્થો હસ્તગત કરી લીધો હતો.

આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત 8 કરોડ શ્રમિકોને નિઃશુલ્ક અનાજ

આંધ્રપ્રદેશ, અંદમાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, ગોવા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, કેરળ, લદ્દાખ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પુડુચેરી, તમિળનાડુ, તેલંગાણા, ત્રિપુરાએ મે મહિના માટે ફાળવેલા અનાજનો જથ્થો હસ્તગત કરીને વિરતણ કરાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત 8 કરોડ પરપ્રાંતિય શ્રમિકો કે જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને પણ નિ:શુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યા છે કે ગરીબો, ખાસ કરીને પરપ્રાંતીય જનતાને વન નેશન વન રેશનકાર્ડ (one nation one ration card) યોજનાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા, જેથી તેમને વન નેશન વન રેશનકાર્ડ યોજના (one nation one ration card scheme) હેઠળ મફત અનાજ મળી શકે.

Corona Vaccine તમામ લોકો માટે મફત, તમામના Vaccination ની જવાબદારી કેન્દ્રની : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધીને જણાવ્યું છે કે, કોરોના 100 વર્ષમાં સૌથી વધારે મોટો ત્રાસ છે. આ વૈશ્વિક સમસ્યાથી લડવા માટે દુનિયા નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે. સાથે જ સરકારે વિદેશમાંથી દવા મંગાવવામાં પણ કોઇ કસર નથી છોડી. 21 જૂનથી 18થી વધુ ઉંમરના લોકોને મફતમાં કોરોના વેક્સિન (Free Corona Vaccine) અપાશે. વડાપ્રધાને જાહેરાત કરી છે કે, 21 જૂન વિશ્વ યોગ દિવસ (International Yoga Day 2021) થી 18 વર્ષથી મોટી ઉંમરના તમામને મફતમાં વેક્સિન આપવામાં આવશે. અમે રાજ્યોને મફતમાં વેક્સિન (Free Corona Vaccine) આપીશું. જે વ્યક્તિ મફત વેક્સિન (Free Corona Vaccine) લેવા ન ઇચ્છતો હોય તો તે ખાનગી હૉસ્પિટલમાંથી પણ લઇ શકશે. ખાનગી હૉસ્પિટલ પણ વધારેમાં વધારે 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઇ શકાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ની મુદ્દત વધારવાની વડાપ્રધાને જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' (PMGKAY) ને દિવાળી સુધી આગળ વધારવામાં આવશે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details