ગુજરાત

gujarat

By

Published : Oct 8, 2022, 6:53 PM IST

ETV Bharat / bharat

એક સાથે ચાર સિલિન્ડર ફાટતાં 16 લોકો દાઝ્યા, 4નાં મોત

જોધપુરના માતા કા થાન વિસ્તારમાં મંગરા પૂંજલા વિસ્તારમાં રહેણાંક કોલોનીમાં શનિવારે બપોરે એક પછી એક ચાર ગેસ સિલિન્ડર ફાટતાં (gas cylinder Blast in Jodhpur)ચાર લોકો જીવતા ભુંજાયા હતા. જ્યારે આ અકસ્માતમાં 16 લોકો દાઝી ગયા હતા.

એક સાથે ચાર સિલિન્ડર ફાટતાં ચાર લોકો જીવતા ભુંજાયા
એક સાથે ચાર સિલિન્ડર ફાટતાં ચાર લોકો જીવતા ભુંજાયા

જોધપુર(રાજસ્થાન) શહેરના માતા કા થાન વિસ્તારમાં મંગરા પૂંજલા વિસ્તારની રહેણાંક કોલોનીમાં શનિવારે બપોરે ગેસના ત્રણ-ચાર સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું હતું કે અકસ્માતમાં 4 લોકો જીવતા ભુંજાયા હતા, જ્યારે 16 લોકો દાઝી ગયા હતા.(gas cylinder Blast in Jodhpur) ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મૃતકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

પૂરતી વ્યવસ્થા કરવા સૂચના:ઘટનામાં દાઝી ગયેલા લોકોને MG હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો 80 ટકાથી વધુ દાઝી ગયા છે. જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા પોતે MG હોસ્પિટલ પહોંચ્યા અને ડોક્ટરોને સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. મળતી માહિતી મુજબ કીર્તિ નગર સ્થિત આ મકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનો ધંધો થતો હતો. સિલિન્ડરમાંથી ગેસ લીક ​​થઈ રહ્યો હતો, તેના પર કામ કરતા વ્યક્તિએ માચીસની સ્ટિક લગાવીને ગેસ લીકેજ ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

4 સિલિન્ડર ફાટ્યા:આ દરમિયાન સિલિન્ડરમાં આગ લાગી હતી, જેના કારણે ત્યાં રાખવામાં આવેલા અન્ય સિલિન્ડરો પણ ફાટી ગયા હતા અને 4 સિલિન્ડર ફાટ્યા હતા. આગ એટલી જોરદાર હતી કે સાંકડી ગલીમાં ઉભેલા ઘણા લોકો આગની ઝપેટમાં આવી ગયા હતા.(four died in gas cylinder blast) જેમને તાકીદે નયાપુરા હોસ્પિટલ અને બાદમાં MG હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માત થયો ત્યારે ગેસ એજન્સીનું પીકઅપ વાહન પણ ઘરની બહાર પાર્ક હતું. એવું માનવામાં આવે છે કે ઘરમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા. તેમાંથી એક સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ત્રણથી ચાર વિસ્ફોટ સંભળાયા.

ઓરડો બળીને રાખ:આ વિસ્ફોટો વચ્ચે ધુમાડો દૂર સુધી જોઈ શકાતો હતો. જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ઘટના દરમિયાન ત્યાં પાર્ક કરેલી પીકઅપ કાર અને અનેક વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા.જે ઘરમાં અકસ્માત થયો હતો તે ઘરનો આખો ઓરડો બળીને રાખ થઈ ગયો હતો. ઘટનાસ્થળે કેટલાય ગેસ સિલિન્ડર બળેલા જોવા મળ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. માહિતી મળતા જ ઉત્તર મહાનગર પાલિકાના મેયર કુંતી દેવરા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડીસીપી અમૃતા દુહાન સહિત અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

CMએ દુખ વ્યક્ત કર્યું: જોધપુરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટની ઘટના પર સીએમ ગેહલોતે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ જણાવ્યુ હતુ કે, " જોધપુરના મગરા પૂંજલા વિસ્તારના કીર્તિ નગરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે 4 લોકોના મોત અને ઘણા લોકોના ઈજાગ્રસ્ત થવા વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. સ્થાનિક પ્રશાસન પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી છે અને ઈજાગ્રસ્તની યોગ્ય સારવાર માટે સૂચનાઓ આપી છે. આ મુશ્કેલ સમયમાં મારી ઊંડી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન તેમને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે અને દિવંગતના આત્માને શાંતિ આપે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી કામના."

ABOUT THE AUTHOR

...view details