બાલી(ઈન્ડોનેશિયા): 17મી જી-20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, (pm modi in 17th g20 summit )મેં વારંવાર કહ્યું છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાનો માર્ગ શોધવો પડશે. છેલ્લી સદીમાં બીજા વિશ્વયુદ્ધે વિશ્વમાં તબાહી મચાવી હતી. જે બાદ તે સમયના આગેવાનોએ શાંતિનો માર્ગ અપનાવવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. હવે આપણો વારો છે.
ટકાઉ પુરવઠો જરૂરી:તેમણે આગળ કહ્યુ હતુ કે, "ભારતની ઊર્જા સુરક્ષા વૈશ્વિક વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. આપણે ઉર્જાના પુરવઠા પર કોઈ નિયંત્રણોને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને ઊર્જા બજારમાં સ્થિરતા સુનિશ્ચિત કરવી જોઈએ. ભારત સ્વચ્છ ઉર્જા અને પર્યાવરણ માટે પ્રતિબદ્ધ છે. 2030 સુધીમાં આપણી અડધી વીજળી રિન્યુએબલ સ્ત્રોતોમાંથી પેદા થશે. સમાવેશી ઉર્જા સંક્રમણ માટે વિકાસશીલ દેશોને સમયસર અને સસ્તું ફાઇનાન્સ અને ટેકનોલોજીનો ટકાઉ પુરવઠો જરૂરી છે. ખાતરની આજની અછત આવતીકાલની ખાદ્ય કટોકટી છે, જેનો વિશ્વ પાસે કોઈ ઉકેલ નથી. ખાતર અને ખાદ્ય અનાજ બંનેની સપ્લાય ચેઇન સ્થિર અને ખાતરીપૂર્વક રાખવા માટે આપણે પરસ્પર સમજૂતી કરવી જોઈએ. ભારતમાં ટકાઉ ખાદ્ય સુરક્ષા માટે, અમે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને બાજરા જેવા પૌષ્ટિક અને પરંપરાગત ખાદ્ય અનાજને ફરીથી વસાવી રહ્યા છીએ. બાજરી વૈશ્વિક કુપોષણ અને ભૂખને પણ સંબોધિત કરી શકે છે. આપણે બધાએ આવતા વર્ષે બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવું જોઈએ."
દ્વિપક્ષીય બેઠકો:17મી જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટમાં સામેલ થયા છે. આ પહેલા ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેઓ બાલીમાં અપૂર્વ કેમ્પિન્સકી હોટલમાં રોકાયા છે. વડાપ્રધાન G20 સમિટની બાજુમાં વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે.