ગુજરાત

gujarat

ETV Bharat / bharat

World Cup 2011: ભારતે 1983 પછી આજના દિવસે બીજી વખત જીત્યો હતો ક્રિકેટ વર્લ્ડ કપ

ભારતીય ક્રિકેટમાં 2 એપ્રિલ 2011નો દિવસ (World Cup 2011) સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ઈતિહાસનું પુનરાવર્તન કરતા ODI વર્લ્ડ કપ જીત્યો (Indian cricket team ) હતો. 1983માં કપિલ દેવની કપ્તાની બાદ ભારત બીજી વખત ODI વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું.

By

Published : Apr 2, 2022, 8:21 PM IST

World Cup 2011: ભારતે 1983 પછી આજના દિવસે બીજી વખત જીત્યો હતો ક્રિકેટ વર્લ્ડ કપ
World Cup 2011: ભારતે 1983 પછી આજના દિવસે બીજી વખત જીત્યો હતો ક્રિકેટ વર્લ્ડ કપ

હૈદરાબાદઃભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 1983નું વર્ષ સુવર્ણ અક્ષરે (World Cup 2011) નોંધાયેલું છે. 28 વર્ષ બાદ ભારતીય ટીમે ફરી વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમે વર્ષ 2011માં રમાયેલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમને હરાવ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની વિનિંગ સિક્સ અને રવિ શાસ્ત્રીની કોમેન્ટ્રી બધાને યાદ છે.

આ પણ વાંચો:IPL 2022: IPL ફેન્સ માટે સારા સમાચાર 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ

પાકિસ્તાન સામે ભારતનું પલ્લું હંમેશા ભારે રહ્યું:ફાઈનલ પહેલા સેમીફાઈનલ મેચ ભારત માટે ઘણી મહત્વની હતી. કારણ કે તેને કટ્ટર હરીફ પાકિસ્તાનનો મુકાબલો કરવાનો હતો. પાકિસ્તાન સામે ભારતનું પલ્લું હંમેશા ભારે રહ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયા તેને હળવાશથી લેવાની ભૂલ કરવા માંગતી ન હતી. તેણે એવું જ કર્યું અને પૂરી તાકાતથી રમ્યો અને પાડોશી દેશને 29 રનથી હરાવ્યો. સચિન તેંડુલકરે આ મેચમાં અડધી સદી ફટકારી હતી અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ફાઈનલ મેચમાં ગંભીરનું યોગદાન: ભારત અને શ્રીલંકા મેચ સાથે જોડાયેલા તથ્યો: શ્રીલંકાએ વર્લ્ડ કપ 2011ની ફાઈનલ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 274 રન બનાવ્યા હતા અને ભારતીય ટીમ સામે 275 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેનો પીછો કરતા ભારતીય બેટ્સમેનોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. જો કે, ભારતની પ્રથમ વિકેટ વીરેન્દ્ર સેહવાગના રૂપમાં પડી, ત્યાર બાદ ક્રિઝ પર આવેલા ગૌતમ ગંભીરે 97 રનની ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. ભલે સૌથી વધુ વાત મહેન્દ્ર સિંહ ધોનીની થાય. પરંતુ ફાઈનલ મેચમાં ગંભીરનું યોગદાન કોઈથી ઓછું નહોતું.

11 વર્ષ પહેલા મળેલી જીત:ધોનીએ ફાઈનલ મેચમાં અણનમ 91 રનની ઇનિંગ રમી હતી, જ્યારે યુવરાજ સિંહે અણનમ 21 રન બનાવ્યા જેના કારણે ટીમે આસાન વિજય નોંધાવ્યો. 11 વર્ષ પહેલા મળેલી જીતને યાદ કરીને યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેણે ટ્વીટ કર્યું કે, આ માત્ર વર્લ્ડ કપ જીત નથી, તે એક અબજ ભારતીયોનું સપનું છે. અમને આ ટીમનો ભાગ બનવા પર ગર્વ છે, જે દેશ માટે વર્લ્ડ કપ જીતવા માંગતા હતા. આ દરમિયાન તેણે સચિન તેંડુલકરને પણ યાદ કર્યા હતા.

આ પણ વાંચો:IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું

28 વર્ષ બાદ વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો:વાનખેડે સ્ટેડિયમમાં 135 કરોડ ભારતીયોના સપનાને ઉડાન મળી. ભારતીય ટીમે 28 વર્ષ બાદ વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જેની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ કપમાં ઓલરાઉન્ડરનું પ્રદર્શન કરનાર યુવરાજ સિંહને મેન ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેઓ ભારત માટે ચોથા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર અને મહેન્દ્ર સિંહ ધોનીએ તેના કરતા વધુ રન બનાવ્યા હતા. પરંતુ સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં તે માત્ર અને માત્ર ઝહીર ખાનથી પાછળ હતો.

વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે જ ભારત ઘરઆંગણે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બની ગયો છે. આ પહેલા કોઈ દેશે આ કારનામું કર્યું ન હતું. જોકે, બાદમાં ઓસ્ટ્રેલિયા અને પછી ઈંગ્લેન્ડે પણ આ સિદ્ધિ મેળવી હતી.

વર્લ્ડ કપ સાથે જોડાયેલા કેટલાક તથ્યો

  • 2011 વર્લ્ડ કપની યજમાની ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા દ્વારા કરવામાં આવી હતી. કુલ 13 સ્ટેડિયમમાં મેચો યોજાઈ હતી. સૌથી વધુ મેચ ભારતમાં યોજાઈ હતી.
  • વર્લ્ડ કપમાં કુલ 14 દેશોએ ભાગ લીધો હતો. તમામ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી.
  • ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, કેનેડા અને કેન્યાનો સમાવેશ થાય છે.
  • દર્શકો ચોંકી ગયા કારણ કે, ન્યુઝીલેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ હતી અને દક્ષિણ આફ્રિકા પહેલાથી જ બહાર થઈ ગયું હતું. દરેકને અપેક્ષા હતી કે આફ્રિકન ટીમ ચોક્કસપણે ઓછામાં ઓછી સેમી ફાઇનલમાં જશે.
  • વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં બતાવ્યું કે, તે આવનારા સમયમાં શું કરવા જઈ રહ્યો છે. ત્રણ વખત વિરાટ દબાણયુક્ત સ્થિતિમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે ભારતની ઇનિંગ્સને સંપૂર્ણ જવાબદારી સાથે સંભાળી હતી.
  • તે સચિન તેંડુલકરનો છઠ્ઠો વર્લ્ડ કપ હતો. તે 1992 થી 2011 સુધી છ વર્લ્ડ કપનો ભાગ હતો. તેંડુલકર સૌથી વધુ વર્લ્ડ કપ રમનાર ખેલાડી છે.
  • તિલકરત્ને દિલશાન (500), સચિન તેંડુલકર (482) અને કુમાર સંગાકારાએ (465) સૌથી વધુ રન બનાવ્યા હતા.
  • ઝહીર ખાન / શાહિદ આફ્રિદી (21), ટિમ સાઉથી (18) અને યુવરાજ સિંહ (15) એ સૌથી વધુ વિકેટ લીધી હતી.
  • શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે અને ભારતે પાકિસ્તાનને 29 રનથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
  • ગૌતમ ગંભીરની શાનદાર બેટિંગ બાદ ધોનીની કેપ્ટનશીપની ઇનિંગ્સના કારણે ભારત 28 વર્ષ બાદ વર્લ્ડ કપ વિજેતા બન્યું છે.
  • ગ્રુપ બીમાં ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, નેધરલેન્ડ અને આયર્લેન્ડનો સમાવેશ થાય છે.
  • વર્લ્ડ કપમાં કુલ 49 મેચ રમાઈ હતી. તે સમય સુધી યોજાયેલા વર્લ્ડ કપમાં આ સૌથી વધુ આંકડો હતો.
  • આ વર્લ્ડ કપમાં કુલ ઈનામી રકમ 75.95 કરોડ હતી. જેમાંથી વિજેતા ટીમને 22.78 કરોડ અને ઉપવિજેતા ટીમને 11.39 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details