પંચમહાલ:જીલ્લીની પાંચ વિધાનસભા બેઠકની ચુંટણી (Gujarat Assembly Election 2022 ) માટે રાજકીય પક્ષ તથા અપક્ષ મળી કુલ 38 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગોધરા બેઠક પર કોગ્રેસના મહિલા ઉમેદવાર રશ્મિતાબેન ચૈાહાણે અને કાલોલ બેઠક પર કોગ્રેસના પ્રભાતસિંહ ચૈાહાણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારો એડી ચોંટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં કર્યો છે. અને મતદાનના અંતિમ દિવસોમાં ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો પાસે પોતાની જીત માટે મતની માંગણી કરી રહ્યા છે.
ETV Bharat / assembly-elections
પંચમહાલના 2 ઉમેદવાર પોતાને જ નહિ આપી શકે મત - congress candidates of Panchmahal
આ વિધાનસભામાં ચૂંટણીમાં ગણા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે પોતે ઉમેદવાર જ પોતાને મત નહિ આપી શકે તેવો પણ એક કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલના કોંગ્રેસનાં ઉમેદવાર પોતાને જ મત નહિ આપી શકે (candidates cannot vote for themselves) જાણો શા માટે???

નામ અને ચિન્હ ઈવીએમ મશીનમાં :પણ જ્યારે મતદાનનો દિવસ આવશે ત્યારે ગોધરા અને કાલોલ બેઠકના કોગ્રેસના ઉમેદવારના નામ અને ચિન્હ ઈવીએમ મશીનમાં જોવા મળશે, પરંતુ બંન્ને ઉમેદવારો પોતાના માટે પોતાનો મત નહિ આપી શકશે. (candidates cannot vote for themselves) કેમકે ગોધરા બેઠકના કોગ્રેસના ઉમેદવારનું નામ શહેરા વિધાનસભા ક્ષેત્રમાં તથા કાલોલ બેઠકના ઉમેદવારનું નામ ગોધરા વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયેલ છે. તેથી તો તેમનો વોટ પોતાના માટે નહીં આપી શકે.
અન્ય ઉમેદવાર માટે નિર્ણાયક:જ્યા મતદાન કરશે ત્યાંના ઈવીએમમાં તેમનું નામ નહીં હોય, તેથી બંન્ને ઉમેદવારોના મત અન્ય ઉમેદવાર માટે નિર્ણાયક બનશે. જો કે, હાર અને જીત માટે એક એક મત બહુ કિંમતી હોય છે, ત્યારે આ બન્ને ઉમેદવારોના ભાવિ માટે તેમનો જ મત નિર્ણાયક બને છે કે કેમ? એ હવે સમય જ નક્કી કરશે.