ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

અમદાવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભા બેઠક પર બિગ ફાઈટ જામશે. - Gujarat Assembly Election 2017 result

Gujarat Assembly Election 2022: અમદાવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભા બેઠક છે. આ બેઠક પર પાટીદાર ઇફેક્ટ જોવા મળતો આવે છે. જેના કારણે આ બેઠક પર દરેક રાજકીય પાર્ટી પાટીદાર ઉમેદવારની પ્રથમ પસંદગી રહી છે.

અમદાવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભા
અમદાવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભા

By

Published : Nov 21, 2022, 9:31 PM IST

અમદાવાદ: શહેરની અમરાઈવાડી વિધાનસભા બેઠક (Ahmedabad Assembly Seat Amraivadi )એ પાટીદારનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે, ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હસમુખ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલ અને આમ આદમી પાર્ટીએ વિનય ગુપ્તાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેથી અમરાઈવાડી વિધાનસભાની બેઠક પર ત્રિપાંખીયો જંગ (Amraivadi big fight) થશે તે નિશ્ચિત છે.

ભાજપના ઉમેદવાર: અમરેવાડી વિધાનસભા બેઠક એ પાટીદારનું ઇફેક્ટ ગણવામાં આવે છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પાટીદાર ઉમેદવાર ડોક્ટર હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જે પોતે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે પોતે વ્યવસાય ડોક્ટર છે અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા હોવાથી તેમને આ વખતે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

કૉંગ્રેસ ઉમેદવાર:અમરાઈવાડી વિધાનસભા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ 2016માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી ન હતી, પરંતુ 2019માં પેટા ચૂંટણી દરમિયાન તેમણે ટિકિટ આપવામાં આવી હતી. જેમાં તેમની લોકપ્રિયતાને કારણે જીત ન મેળવી શક્યા, પરંતુ જે હારનું અંતર હતું તે ઘટાડવામાં સફળ રહ્યા હતા. જેના કારણે ફરી એકવાર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) તેમને ટિકિટ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર:આમ આદમી પાર્ટી દ્વારા અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી વિનય ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે. જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની સાથે સાથે છેલ્લા ઘણા સમયથી અનેક સામાજિક સંસ્થાઓ સાથે રહીને પણ સામાજિક કામો કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ વિનય ગુપ્તાને ટિકિટ આપી છે.

અમરાઇવાડી વિધાનસભા

અમરાઈવાડી વિધાનસભા બેઠકનું મહત્વ: અમરાઈવાડી વિધાનસભા પાટીદાર ઇફેક્ટ જોવા મળતી હોવાથી રાજકીય પાર્ટી પાટીદાર ઉમેદવારની પ્રથમ પસંદગી રાખે છે. કારણ કે આ બેઠક પાટીદારોનો મત અહીં હારજીત માટે નિર્ણાયક બને છે. આ બેઠક 2012માં અસ્તિત્વમાં આવી હતી આ બેઠક પર ભાઈપુરા, ઇન્દ્રપુરી, વટવાનો અમુક વિસ્તાર જ્યારે ખોખરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.

જાતિ સમીકરણ :અમરાઈવાડી વિધાનસભાને જાતી સમીકરણની વાત કરવામાં આવે તો 50000 દલિત સમાજ, 35,000 સવર્ણ સમાજ,1 લાખ 50 હજાર પાટીદાર સમાજ, 50 હજાર પરપ્રાંતીય મતદારોની સંખ્યા જોવા મળી આવે છે.

મતદાતાની સંખ્યામાં વધારો

અમરાઇવાડી વિધાનસભા ડેમોગ્રાફીઃઅમરાઇવાડી વિઘાનસભા બેઠક (Amraivadi Assembly Seat ) 2012માં અસ્તિત્વમાં આવી. આ વિધાનસભામાં ભાઇપુરા,ઇન્દ્રાપુરી,વટવા,ખોખરા જેવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવે છે. આ વિધાનસભા બેઠકમાં પાટીદાર પ્રભુત્વ જોવા મળે છે. જાતિસમીકરણની વાત કરવામાં આવે તો દલિત સમાજના 50 હજાર,સર્વણ સમાજના 35 હજાર, 1 લાખ 10 હજાર પાટીદાર સમાજ અને 50 હજાર પરપ્રાંતીય લોકો અહી મોટી સંખ્યામાં વસવાટ કરે છે. પાટીદાર ઇફેક્ટ ચોક્કસપણે આ વિધાનસભા બેઠક પર જોવા મળી આવે છે. હાલ સુધી બંન્ને ચૂંટણીમાં (Assembly seat of Amraivadi ) ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર ઉમેદવાર ટિકિટ આપી છે અને બન્ને ઉમેદવારે ભવ્ય જીત મેળવી છે. 2022માં મતદારોની સંખ્યામાં વધારો આવ્યો છે. આ બેઠક પર છેલ્લે થયેલી વસ્તી ગણતરી મુજબ મતદાતાની સંખ્યામાં વધારો થયો છે. જેમા પુરૂષોની મતદાતાની સંખ્યા 1,56,774 જ્યારે મહિલા મતદાતાની સંખ્યા 1,37,766 અને અન્ય 8 મતદાતા નોંધાયા છે.

ચૂંટણી પરિણામ

અગાઉની ચૂંટણીઓના પરિણામ -વિધાનસભા ચૂંટણીમાં અમરાઇવાડી વિધાનસભા બેઠક (Amraivadi Assembly Seat ) માટે અહીં 2012માં પ્રથમ વખત થઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી પાટીદારના મતને ધ્યાનમાં રાખી પાટીદાર ઉમેદવાર ટિકિટ આપી હતી.જેમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે બિપીન ગઢવીએ દાવેદારી નોંધાઇ હતી. ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની 65425થી ભવ્ય જીત થઇ હતી. 2012માં કુલ મતદાતાની વાત કરવામાં આવે તો પુરુષની સંખ્યા 1,31,792 મતદાતા અને મહિલા મતદાતા 1,11,306 હતાં જેમાંથી કુલ મતદાન 65.59 ટકા નોંધાયું હતું. પરંતુ 2017માં હસમુખ પટેલ ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાતા આ બેઠક ખાલી પડી હતી. 2017 વિધાનસભા ચૂંંટણી (Gujarat Assembly Election 2017 result) સમયે બેઠક ખૂબ જ રસપ્રદ બની હતી. કારણ કે આ બેઠક પર પાટીદાર પાવર જોવા મળી આવતા બન્ને પક્ષે પાટીદાર નેતા ઉભા રાખ્યાં હતાં. તે બન્ને પાટીદાર નેતા કડીના વતની હતાં. જેથી બન્ને ઉમેદવારને પોતાના સમાજની સાથે અન્ય સમાજ મત પોતાની તરફ લાવવા મહેનતની જરૂર પડી હતી. આ બેઠક પર કુલ મતદાતાની વાત કરવામાં આવે તો પુરુષોના મત વધીને 1,44,029 જ્યારે મહિલા મતદાતાની સંખ્યા વધીને 1,24,341 થઇ હતી.આ બેઠકની પેટાચૂંટણી 2019માં (Gujarat Assembly ByElection 2019 )યોજાઇ જેમાં ભારતીય જનતા પાર્ટીએ જગદીશ પટેલ (Jagdish Patel Seat) અને કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને (Dharmendra Patel Seat) ટિકીટ આપી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5498 જેટલા મતથી જીત પ્રાપ્ત કરી હતી. જગદીશ પટેલને 48,657 મત મળ્યાં જ્યારે કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને 43,129 મત મળ્યાં હતાં.

અમરાઈવાડી આ માટે જાણીતું છે

અમરાઇવાડી વિધાનસભા બેઠકની ખાસિયત -અમરાઇવાડી વિધાનસભા બેઠકમાં(Amraivadi Assembly Seat ) થયેલો વિકાસની વાત કરીએ તો શહેરનો હિસ્સો હોવાના કારણે કોર્પોરેશન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. ખાસ તો આ વિસ્તારમાં પાણી સમસ્યા ઘણા વર્ષો જોવા મળતી હતી તે દૂર થઇ છે. નવી બે પાણીનીં ટાંકી બનવવામાં આવી છે. ઇન્દ્રાપુરીમાં સ્માર્ટ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી વાંચવામાં અદ્યતન લાયબ્રેરી તેમજ આ વિસ્તારમાંથી મેટ્રો પણ જોવા મળી રહી છે. આ બેઠક પર ખોખરામાં અદ્યતન સુવિધાઓ સાથે સ્પોર્ટસ કોમ્પલેક્સ પણ જોવા મળે છે. શિક્ષણ માટે આ વિસ્તારમાં કોલેજ પણ ઉપલબ્ધ છે. આ વિસ્તારમાં આવેલો ટુ લેયર સીટીએમ બ્રિજ પણ જાણીતો છે. વડોદરા એક્સપ્રેસ હાઇવે આ વિસ્તારથી શરુ થતો હોવાથી તેમ જ મુંબઇ સહિતના દક્ષિણ તરફ જતી આંતરરાજ્ય ખાનગી બસ સેવા માટેની ટ્રાવેલ્સ કંપનીઓની ઓફિસીસ ખૂબ મોટા પ્રમાણમાં છે. જેને લઇને આ વિસ્તાર દિવસરાત ધમધમતો જોવા મળે છે.

ક્યારે પૂરી થશે આ માગ

અમરાઇવાડી વિધાનસભા બેઠકની માગણી - અમરાઇવાડી વિધાનસભા બેઠક (Amraivadi Assembly Seat ) વિસ્તારમાં મેટ્રોનું કામ ચાલુ હોવાથી ભારે દબાણ જોવા મળી રહ્યું છે.રસ્તાઓની હાલત ખરાબ જોવા મળે છે. આ વિસ્તારમાં જે પ્રમાણે બજેટ ફાળવવામાં આવે છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવતો નથી. આ વિસ્તારમાં સમગ્ર અમદાવાદમાં હાઇ ક્રાઇમરેટ છે જેને લઇને કાયદો વ્યવસ્થા બાબતે કડકાઇની માગણી છે.તો વિસ્તારમાં ચોરી,લૂંટફાટના અને હત્યાના કેસો વધારે જોવા મળે છે.વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલના વિકાસના સપનાં બતાવાયાં હતાં જોકે તેમાં કંઇ થઇ શક્યું નથી. તો ઠેરઠેર ગંદકી અને કચરાને લઇને રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ પણ મોટા પ્રમાણમાં છે જેની સ્થિતિ સુધારવાની માગણી છે.

ABOUT THE AUTHOR

...view details