હજારીબાગઃ હજારીબાગ લોકસભા સીટની ચૂંટણીને હવે માત્ર 9 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં દરેક સંસદ ઉમેદવારોએ ચૂંટણી કચેરીઓ પ્રચાર વાહનો સાથે મેદાનમાં ઉતરી તેમનો ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે.
હજારીબાગ લોકસભા મતવિસ્તારમાંથી એનડીએ સમર્થિત ભાજપના ઉમેદવાર મનીષ જયસ્વાલ છેલ્લા 69 દિવસથી આ વિસ્તારની મુલાકાત લઇ રહ્યા છે. અને તે વિસ્તારમાં સતત અભિયાન તેમજ લોકો સાથે મળી વાતચીત કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અભિયાન દરમિયાન ETV ભારત સંવાદદાતાએ ભાજપના સાંસદ ઉમેદવાર મનીષ જયસ્વાલ સાથે ખાસ વાતચીત કરી. આ દરમિયાન તેમને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબ મનીષ જયસ્વાલે આપ્યા હતા.
પ્રશ્ન: તમે કયા મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જાઓ છો?
જવાબ: હું વિકાસ અને ગરીબ કલ્યાણના મુદ્દાઓને લઈને સામાન્ય જનતાની વચ્ચે જવું છું. અને મને તેમનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કામો વિશે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં ભાજપ ત્રીજી વખત સરકાર બનાવશે તો સામાન્ય જનતાને શું ભેટ આપવામાં આવશે તે અંગે દરેક વ્યક્તિ પાસેથી સમર્થન માંગવામાં આવી રહ્યું છે.
સવાલ:શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હજુ પણ લોકપ્રિયતા અકબંધ છે?
જવાબઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આગળ લઈ જવાનું કામ શરુ કર્યું છે. આ સાથે દેશના ગરીબોને માન-સન્માન આપીને તેમનું જીવનધોરણ ઊંચું લાવવાનું કામ કરવામાં આવું રહ્યું છે. સમગ્ર વિશ્વમાં આપણા દેશનું સન્માન વધ્યું છે. તેમને જે કામ કર્યું છે તે અદ્ભુત છે. તેમની ખાસિયત છે કે આજે જ્યાં પણ જનસંપર્ક કે રોડ-શો થઈ રહ્યા છે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નારાઓ સંભળાય છે. સામાન્ય જનતા તો વડાપ્રધાનના નામ પર જ વોટ આપવા ઉત્સુક જણાય છે. જે સીધું દેખાઈ આવે છે કે અમને જનતાનો પૂરો સહયોગ મળી રહ્યો છે.
સવાલ: કેટલા દિવસથી જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે અને તમે કયા-કયા ગામોમાં પોંહચીને અભ્યાનનને પાર પડ્યું છે?
જવાબઃ અત્યાર સુધી લોકસંપર્કના ટેલિ કે લોકોને તેમની જગ્યાએ મળવાના 68 દિવસ થયા છે. અમે 1200 ગામડાઓ સુધી પહોંચવામાં સફળ રહ્યા છીએ. અને ત્યાં વિકાસના એજન્ડા પર જ મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. ગામડાના લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા વિભાગ માટે કઈ યોજના બનાવી છે. આનાથી તેમને શું ફાયદો થશે? આગામી સમયમાં કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય અને વીજળી પર ખાસ કામ કરવાની યોજના તૈયાર કરી છે. જનતાના આશીર્વાદ મળશે અને કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે તો ગરીબ કલ્યાણ યોજના અમલમાં મુકાશે.